Sitaram yechury Death : CPM મહાસચિવ સીતારામ યેચુરીનું અવસાન, જાણો મોટા નેતાઓએ શું કહ્યું?
Sitaram yechury Passes away : CPM મહાસચિવ અને દેશના અગ્રણી વામપંથી નેતા સીતારામ યેચુરીનું અવસાન થયુ છે.
CPI(M)ના મહાસચિવ અને રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ સીતારામ યેચુરીનું લાંબી માંદગી બાદ અવસાન થયું હતું. તેમણે 72 વર્ષે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા.

સીતારામ યેચુરીને એઈમ્સ ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને શ્વસનતંત્રમાં ઈન્ફેક્શનની ફરિયાદ બાદ સારવાર આપવામાં આવી રહી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર સીતારામ યેચુરીનું નિધન બપોરે 3.05 કલાકે થયું.
તેઓ છેલ્લા કેટલાક દિવસોથી વેન્ટિલેટર પર હતા. ડોકટરોની મોટી ટીમ દ્વારા તેની સારવાર કરવામાં આવી રહી હતી. ગયા મહિને 20 ઓગસ્ટે સીતારામ યેચુરીને દિલ્હી એમ્સના ICU વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પીટીઆઈએ પાર્ટી અને હોસ્પિટલના સૂત્રોને ટાંકીને જણાવ્યું કે, સીતારામ યેચુરીનું લાંબી માંદગી બાદ 72 વર્ષની વયે અવસાન થયું છે. સીતારામ યેચુરીને 5 સપ્ટેમ્બરની રાતથી એમ્સમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. તેના ફેફસામાં ઈન્ફેક્શન વધી ગયું હતું. સીતારામ યેચુરીને ઉંમર સંબંધિત ઘણી બીમારીઓ હતી.
Sitaram Yechury ji was a friend.
— Rahul Gandhi (@RahulGandhi) September 12, 2024
A protector of the Idea of India with a deep understanding of our country.
I will miss the long discussions we used to have. My sincere condolences to his family, friends, and followers in this hour of grief. pic.twitter.com/6GUuWdmHFj
તેમના અવસાન પર કોંગ્રેસના નેતા પવન ખેડાએ કહ્યું કે, સીતારામ યેચુરી એક સજ્જન અને મજબૂત વિશ્વાસ ધરાવતા વ્યક્તિ હતા. સીતારામ યેચુરીને શાંતિ મળે. ભારતીય રાજનીતિ તમને અને તમે જે મૂલ્યો દ્વારા જીવ્યા હતા તે તમને યાદ કરશે.
રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું અને લખ્યુ કે, દુઃખની આ ઘડીમાં તેમના પરિવાર, મિત્રો અને અનુયાયીઓ પ્રત્યે મારી સંવેદના.












Click it and Unblock the Notifications
