Sitaram Yechury Death : રિસર્ચ માટે દાન કરાયો સીતારામ યેચુરીનો પાર્થિવ દેહ, જાણો કેવી રીતે થશે અંતિમ સંસ્કાર?
Sitaram Yechury Death: ભારતના વામપંથી નેતા અને સીપીએમ મહાસચિવ સીતારામ યેચુરીનું લાંબી બીમારી બાદ અવસાન થયુ છે. અવસાન બાદ તેમના પાર્થિવ દેહને રિસર્ચ માટેે દાન કરી દેવાયો છે.
સીતારામ યેચુરીએ 72 વર્ષ ઉમરે લાંબી બીમારી બાદ અંતિમ શ્વાસ લીધા. તે ગંભીર રીતે છાતીમાં ઈન્ફેક્શનથી પીડિત હતા. જેના કારણે 19 ઓગસ્ટ 2024ના રોજ AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા.

સીતારામ યેચુરીના પરિવારે તેમના શરીરને શિક્ષણ અને સંશોધન હેતુઓ માટે દિલ્હી AIIMS માં દાન કર્યો છે. જો કે તેમનો પરિવાર, પક્ષ અને સ્નેહીજનો સીતારામ યાચુરીને શ્રદ્ધાંજલિ આપવા ઈચ્છતા હોવાથી તેમના પાર્થિવ દેહને 14મી સપ્ટેમ્બરથી ઓફિસમાં રાખવામાં આવશે. સવારે 11 થી 3 વાગ્યા સુધી મૃતદેહને શ્રદ્ધાંજલિ માટે રાખવામાં આવશે અને પછી તેને એઈમ્સમાં પરત સોંપવામાં આવશે.
સીતારામ યેચુરીના નિધન બાદ પરિવારની ઈચ્છા અને તેમની ઈચ્છા મુજબ તેમના પાર્થિવ દેહને AIIMSને દાન કરવામાં આવ્યો છે, તેથી AIIMS તેમના મૃતદેહને સાચવવાની પ્રક્રિયા પૂર્ણ કરી રહી છે. મૃત્યુ પછી પાર્થિવ દેહને શરીરરચના વિભાગમાં લઈ જવામાં આવ્યો છે. જ્યાં શરીરની રચના અને તેના વિવિધ ભાગોના પરસ્પર સંબંધોનો અભ્યાસ કરવામાં આવે છે.
એઈમ્સના અધિકારીઓનું કહેવું છે કે સીતારામ યેચુરી અને તેમના પરિવાર દ્વારા તેમના પાર્થિવ દેહ સંસ્થાને દાન કરવા માટે લેવાયેલું પગલું પ્રશંસનીય છે. આ નિર્ણયને ઉમદા નિર્ણય ગણાવ્યો.
જણાવી દઈએ કે MBBS ના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ કે જેઓ પ્રી-ક્લિનિકલ વિષયના છે તેમને મૃતદેહો પર શરીરરચનાનો અભ્યાસ કરાવવામાં આવે છે. આ સિવાય ઓર્થોપેડિક્સ, ન્યુરો સર્જરી, ENT સર્જરીના સર્જનો આ મૃતદેહો પર પ્રેક્ટિસ કરે છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના








Click it and Unblock the Notifications
