Sitaram Yechury Death : રિસર્ચ માટે દાન કરાયો સીતારામ યેચુરીનો પાર્થિવ દેહ, જાણો કેવી રીતે થશે અંતિમ સંસ્કાર?

Sitaram Yechury Death: ભારતના વામપંથી નેતા અને સીપીએમ મહાસચિવ સીતારામ યેચુરીનું લાંબી બીમારી બાદ અવસાન થયુ છે. અવસાન બાદ તેમના પાર્થિવ દેહને રિસર્ચ માટેે દાન કરી દેવાયો છે.

સીતારામ યેચુરીએ 72 વર્ષ ઉમરે લાંબી બીમારી બાદ અંતિમ શ્વાસ લીધા. તે ગંભીર રીતે છાતીમાં ઈન્ફેક્શનથી પીડિત હતા. જેના કારણે 19 ઓગસ્ટ 2024ના રોજ AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Sitaram Yechury Death

સીતારામ યેચુરીના પરિવારે તેમના શરીરને શિક્ષણ અને સંશોધન હેતુઓ માટે દિલ્હી AIIMS માં દાન કર્યો છે. જો કે તેમનો પરિવાર, પક્ષ અને સ્નેહીજનો સીતારામ યાચુરીને શ્રદ્ધાંજલિ આપવા ઈચ્છતા હોવાથી તેમના પાર્થિવ દેહને 14મી સપ્ટેમ્બરથી ઓફિસમાં રાખવામાં આવશે. સવારે 11 થી 3 વાગ્યા સુધી મૃતદેહને શ્રદ્ધાંજલિ માટે રાખવામાં આવશે અને પછી તેને એઈમ્સમાં પરત સોંપવામાં આવશે.

સીતારામ યેચુરીના નિધન બાદ પરિવારની ઈચ્છા અને તેમની ઈચ્છા મુજબ તેમના પાર્થિવ દેહને AIIMSને દાન કરવામાં આવ્યો છે, તેથી AIIMS તેમના મૃતદેહને સાચવવાની પ્રક્રિયા પૂર્ણ કરી રહી છે. મૃત્યુ પછી પાર્થિવ દેહને શરીરરચના વિભાગમાં લઈ જવામાં આવ્યો છે. જ્યાં શરીરની રચના અને તેના વિવિધ ભાગોના પરસ્પર સંબંધોનો અભ્યાસ કરવામાં આવે છે.

એઈમ્સના અધિકારીઓનું કહેવું છે કે સીતારામ યેચુરી અને તેમના પરિવાર દ્વારા તેમના પાર્થિવ દેહ સંસ્થાને દાન કરવા માટે લેવાયેલું પગલું પ્રશંસનીય છે. આ નિર્ણયને ઉમદા નિર્ણય ગણાવ્યો.

જણાવી દઈએ કે MBBS ના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ કે જેઓ પ્રી-ક્લિનિકલ વિષયના છે તેમને મૃતદેહો પર શરીરરચનાનો અભ્યાસ કરાવવામાં આવે છે. આ સિવાય ઓર્થોપેડિક્સ, ન્યુરો સર્જરી, ENT સર્જરીના સર્જનો આ મૃતદેહો પર પ્રેક્ટિસ કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X