નવી દિલ્હી, 6 મે: ગુજરાતમાં એક યુવતીની છૂપી રીતે જાસૂસી કરવાના મામલામાં યુવતીના પિતાએ એક વાર ફરી સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. આ વખતે યુવતીના પિતાએ પોતાની અરજી દાખલ કરતા કોર્ટને તપાસ બંધ કરવાની અરજ કરી છે. સુપ્રીમ કોર્ટે આ મામલામાં જો યુવતીના પક્ષમાં ફેંસલો સંભળાવી દે છે તો નરેન્દ્ર મોદી સહિત તેમના નજીકના અમિત શાહના માટે આ ખૂબ જ ખુશીની વાત બની રહેશે.
સ્નૂપગેટ મામલામાં અંતર્ગત ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને પૂર્વ ગૃહમંત્રી અમિત શાહ પર આ આરોપ લગાવવામાં આવ્યો હતો કે અમિત શાહ કોઇ 'સાહેબ'ના કહેવા પર એક યુવતીના ફોન કોલ્સ સહિત તેના અંગત જીવન અંગેની જાણકારી હાસલ કરવાની કોશીશ કરી હતી. મામલામાં આ વાત પણ સામે આવી હતી કે અમિત શાહે તપાસ માટે સરકારી મશીનરીનો પણ જોરદાર ઉપયોગ કર્યો હતો.
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દૂલ્લાએ પણ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે કોંગ્રેસનો આ નિર્ણય ખૂબ જ ખોટો છે જેમાં મારી પાર્ટીનો કોઇ સાથ નથી. પરંતુ હવે આ વિવાદના થોડા દિવસો બાદ જ યુવતીના પિતાએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે અને તપાસ બંધ કરવાની માંગ કરી છે.