ભારતમાં જોવા મળશે નહી વલયાકાર સૂર્યગ્રહણનો નજારો

solar-eclipse
ઇન્દોર, 6 મે: સૂર્ય, પૃથ્વી અને ચંદ્રમાની 'ત્રિમૂર્તિ' 10 મેના રોજ દુનિયાના અલગ-અલગ ભાગોમાં વલયાકાર સૂર્યગ્રહણના રોમાંચક દ્રશ્ય જોવા મળશે. પરંતુ આ સમાચાર ભારતના ખગોળ પ્રેમીઓના નિરાશ કરી શકે છે આ નજારાને ભારતમાં નિહાળી શકાશે નહી. ઉજૈનની પ્રતિષ્ઠિત જીવાજી વેધશાળાના અધિક્ષક ડો. રાજેન્દ્રપ્રકાશ ગુપ્તે ભારતીય સંદર્ભે કરવામાં આવી હતી કાલગણનાના આધારે આજે પીટીઆઇને જણાવ્યું હતું કે વલયાકાર સૂર્યગ્રહણની શરૂઆત 10 મેના સવારે ચાર વાગ્યાને બે મિનિટથી શરૂ થશે.

તેમને જણાવ્યું હતું કે સવારે પાંચ વાગ્યાને 55 મિનિટ પર વલયાકાર સૂર્યગ્રહણ પોતાની ચરમ સ્થિતીમાં પહોંચી જશે, જ્યારે સૂર્યનો 95.6 ટકા ભાગ ચંદ્રમાની છાયામાં ઢંકાઇ જશે. હાલમાં સૂર્ય કોઇ ચમકદાર રિંગ્સ કે બંગડી જેમ જોવા મળશે. આ સ્થિતી પાંચ મિનિટ 57 સેકન્ડ સુધી રહેશે. લગભગ બે સદી જૂની વેધશાળાના અધિક્ષકના જણાવ્યા અનુસાર સવારે સાત વાગ્યાને 47 મિનિટ પર વલયાકાર સૂર્યગ્રહણ સમાપ્ત થઇ જશે. તેમને જણાવ્યું હતું કે પૃથ્વી પર ભારતની સ્થિતીના કારણે વલયાકાર સૂર્યગ્રહણનો નજારો દેશમાં જોવા મળશે નહી.

ડો. રાજેન્દ્રપ્રકાશ ગુપ્તે જણાવ્યું હતું કે વલયાકાર સૂર્યગ્રહણ ભારતમાં એટલા માટે જોવા મળશે નહી, કારણ કે આ ખગોળીય ઘટના દરમિયાન ચંદ્રમાની છાયાવાળો ભાગ દેશમાં અદ્રશ્ય રહેશે. તેમને જણાવ્યું હતું કે વલયાકાર સૂર્યગ્રહણ દુનિયાના જે ભાગોમાં જોવા મળશે, તેમાં દક્ષિણ યૂરોપ, આફ્રિકા, દક્ષિણ અમેરિકા અને એટલાન્ટિક મહાસાગરનો સમાવેશ થાય છે. વલયાકાર સૂર્યગ્રહણ ત્યારે થાય છે, જ્યારે સૂર્ય અને ચંદ્રમા સીધી રેખામાં હોય છે. આ ખગોળીય ઘટનાના સમયે સૂર્ય અને પૃથ્વીના વચ્ચે ચંદ્રમા એવી રીતે આવી જાય છે કે પૃથ્વી પરથી નિહાળતાં સૌરમંડળમાં ચમકદાર રીંગ કે પછી બંગડીની માફક જોવા મળે છે. આ દરમિયાન સૂર્યની કિરણો ચંદ્રમાની છાયાની ચારેય તરફ નિકળતી જોવા મળે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X