CAA પર મોહન ભાગવતઃ અમુક મુસ્લિમ પોતાના જ સમાજમાં ફેલાવી રહ્યા છે ડર
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ કે અમુક મુસ્લિમ નાગરિકતા સુધારા કાયદા (સીએએ) વિશે પોતાના સમાજમાં જ ડર પેદા કરવાની કોશિશ કરી રહ્યા છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ કે અમુક મુસ્લિમ નાગરિકતા સુધારા કાયદા (સીએએ) વિશે પોતાના સમાજમાં જ ડર પેદા કરવાની કોશિશ કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે આ કાયદાથી ડરવાની કોઈ જરૂર નથી. આ ડર અને ભ્રમને દૂર કરવા માટે મુસ્લિમ સમાજના શિક્ષિત અને બુદ્ધિજીવી લોકોએ આગળ આવવુ જોઈએ.

મોહન ભાગવતે કહ્યુ, ભારતમાં શિક્ષિત અને બુદ્ધિજીવી મુસ્લિમ લોકોએ આગળ આવવુ જોઈએ અને આ ડરને દૂર કરવો જોઈએ. હિંદુ અને મુસ્લિમ બંને આ દેશના નાગરિક છે અને તેમના (મુસ્લિમ) આ કાયદાથી ડરવા પાછળનુ કોઈ કારણ નથી. ભાગવતે આ વાત સંઘના કાર્યકર્તાઓ સાથે મંગળવારે થયેલી બેઠકમાં કહી છે. આરએસએસ પ્રમુખે પોતાના કાર્યકર્તાઓને પોતાની આવકનો એક ભાગ સામાજિક કલ્યાણના કાર્યો પર ખર્ચ કરવા માટે પણ કહ્યુ છે.
તેમણે કહ્યુ કે જાતિ અને વર્ગ વિભાજન ભારતીય સમાજ માટે એક અભિશાપ રહ્યો છે અને સામાજિક સમાનતા સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવતો રહ્યો છે. ભાગવતે પોતાના કાર્યકર્તાઓને એ પણ કહ્યુ કે અહંકારને દૂર કરીને સંગઠનના વિસ્તારમાં શામેલ થાવ. આરએસએસ છેલ્લા 95 વર્ષોથી આ અવધારણા પર જીવિત છે અને આપણે એ જ સિદ્ધાંતોનુ પાલન કરવાની જરૂર છે. આરએસએસ પ્રમુખે કહ્યુ કે દરેક વ્યક્તિએ રાષ્ટ્ર નિર્માણનો હિસ્સો બનવુ જોઈએ. આરએસએસનુ લક્ષ્ય 2025 સુધી દેશના દરેક ગામમાં શાખા સ્થાપિત કરવાનુ છે. તેમણે બધા આરએસએસ પદાધિકારીઓને આ લક્ષ્યની દિશામાં કામ કરવાનો આગ્રહ કર્યો.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા






Click it and Unblock the Notifications
