મોહન ભાગવતના ડિવોર્સવાળા નિવેદન પર સોનમ કપૂરઃ આ મૂર્ખામીભર્યુ અને પછાત વિચારોવાળુ
અભિનેત્રી સોનમ કપૂરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રમુખ મોહન ભાગવતના હાલમાં જ ડિવોર્સ વિશે આપેલા નિવેદનની આકરી ટીકી કરી છે.
અભિનેત્રી સોનમ કપૂરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રમુખ મોહન ભાગવતના હાલમાં જ ડિવોર્સ વિશે આપેલા નિવેદનની આકરી ટીકી કરી છે. સોનમે કહ્યુ કે આ ખૂબ જ પછાત વિચાર દર્શાવતી અને મૂર્ખામીભરી વાત છે. ભાગવતે કહ્યુ છે કે ડિવોર્સના કેસ વધુ ભણેલા ગણેલા પરિવારોમાં વધુ જોવા મળી રહ્યા છે કારણકે આનાથી અહંકાર આવી જાય છે. આ વિશે જ સોનમે આ વાત કહી છે.

સોનમે ટ્વિટ કરીને બતાવ્યો ગુસ્સો
મોહન ભાગવતના નિવેદનવાળા સમાચારને રિટ્વિટ કરીને સોનમે લખ્યુ કોઈ સમજદાર વ્યક્તિ કેવી રીતે આ પ્રકારની વાત કરી શકે છે. એકદમ મૂર્ખતાપૂર્ણ અને પછાત વિચારોને વ્યક્ત કરતુ વિચિત્ર નિવેદન છે આ. સોનમ કપૂરનુ આ ટ્વિટ સોશિયલ મીડિયા પર ઘણુ ચર્ચિત થઈ રહ્યુ છે. સોનમના આ ટ્વિટર પર હજારો લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ બોલ્યા હતા મોહન ભાગવત
આરએસએસના એક કાર્યક્રમમાં મોહન ભાગવતે કહ્યુ હતુ વર્તમાન સમયમાં ડિવોર્સના કેસ સતત વધી રહ્યા છે. ડિવોર્સના કેસ શિક્ષિત અને સંપન્ન પરિવારોમાં વધુ છે. આનુ કારણ એ છે કે શિક્ષણ અને સંપન્નતાથી લોકોમાં અહંકાર આવી જાય છે જેનુ પરિણામ પરિવારોનુ તૂટવુ છે. પરિવાર તૂટવાથી સમાજ પણ વિખેરાય છે કારણકે સમાજ પણ એક પરિવાર છે.

સામાજિક મુદ્દાઓ પર બોલતી રહે છે સોનમ
આ પહેલી વાર નથી જ્યારે સોનમ કપૂરે કોઈ રાજકીય કે સામાજિક મુદ્દાઓ પર પોતાનુ મંતવ્ય રાખ્યુ હોય. હાલમાં જ દિલ્લીના શાહીન બાગાં ચાલી રહેલા પ્રદર્શન વિશે પણ તેણે ટ્વિટ કર્યુ હતુ. શાહીન બાગ અને જામિયામાં ફાયરિંગની ઘટના પર તેણે લખ્યુ હતુ, ક્યારેય વિચાર્યુ પણ નહોતુ કે ભારતમાં આવુ થશે. વિભાજનકારી રાજનીતિ બંધ કરો, આ નફરત ફેલાવે છે, જો તમે ખુદને હિંદુ સમજતા હોય તો એ સમજે કે તમારો ધર્મ તમારા કર્મ વિશે હોય છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
