મોહન ભાગવતના ડિવોર્સવાળા નિવેદન પર સોનમ કપૂરઃ આ મૂર્ખામીભર્યુ અને પછાત વિચારોવાળુ
અભિનેત્રી સોનમ કપૂરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રમુખ મોહન ભાગવતના હાલમાં જ ડિવોર્સ વિશે આપેલા નિવેદનની આકરી ટીકી કરી છે.
અભિનેત્રી સોનમ કપૂરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રમુખ મોહન ભાગવતના હાલમાં જ ડિવોર્સ વિશે આપેલા નિવેદનની આકરી ટીકી કરી છે. સોનમે કહ્યુ કે આ ખૂબ જ પછાત વિચાર દર્શાવતી અને મૂર્ખામીભરી વાત છે. ભાગવતે કહ્યુ છે કે ડિવોર્સના કેસ વધુ ભણેલા ગણેલા પરિવારોમાં વધુ જોવા મળી રહ્યા છે કારણકે આનાથી અહંકાર આવી જાય છે. આ વિશે જ સોનમે આ વાત કહી છે.
સોનમે ટ્વિટ કરીને બતાવ્યો ગુસ્સો
મોહન ભાગવતના નિવેદનવાળા સમાચારને રિટ્વિટ કરીને સોનમે લખ્યુ કોઈ સમજદાર વ્યક્તિ કેવી રીતે આ પ્રકારની વાત કરી શકે છે. એકદમ મૂર્ખતાપૂર્ણ અને પછાત વિચારોને વ્યક્ત કરતુ વિચિત્ર નિવેદન છે આ. સોનમ કપૂરનુ આ ટ્વિટ સોશિયલ મીડિયા પર ઘણુ ચર્ચિત થઈ રહ્યુ છે. સોનમના આ ટ્વિટર પર હજારો લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે.
આ બોલ્યા હતા મોહન ભાગવત
આરએસએસના એક કાર્યક્રમમાં મોહન ભાગવતે કહ્યુ હતુ વર્તમાન સમયમાં ડિવોર્સના કેસ સતત વધી રહ્યા છે. ડિવોર્સના કેસ શિક્ષિત અને સંપન્ન પરિવારોમાં વધુ છે. આનુ કારણ એ છે કે શિક્ષણ અને સંપન્નતાથી લોકોમાં અહંકાર આવી જાય છે જેનુ પરિણામ પરિવારોનુ તૂટવુ છે. પરિવાર તૂટવાથી સમાજ પણ વિખેરાય છે કારણકે સમાજ પણ એક પરિવાર છે.
સામાજિક મુદ્દાઓ પર બોલતી રહે છે સોનમ
આ પહેલી વાર નથી જ્યારે સોનમ કપૂરે કોઈ રાજકીય કે સામાજિક મુદ્દાઓ પર પોતાનુ મંતવ્ય રાખ્યુ હોય. હાલમાં જ દિલ્લીના શાહીન બાગાં ચાલી રહેલા પ્રદર્શન વિશે પણ તેણે ટ્વિટ કર્યુ હતુ. શાહીન બાગ અને જામિયામાં ફાયરિંગની ઘટના પર તેણે લખ્યુ હતુ, ક્યારેય વિચાર્યુ પણ નહોતુ કે ભારતમાં આવુ થશે. વિભાજનકારી રાજનીતિ બંધ કરો, આ નફરત ફેલાવે છે, જો તમે ખુદને હિંદુ સમજતા હોય તો એ સમજે કે તમારો ધર્મ તમારા કર્મ વિશે હોય છે.
આ પણ વાંચોઃ ફિલ્મફેર કે એવા સ્ટુપિડ અવૉર્ડ લેવા નહિ જઉઃ સલમાન ખાન