કર્ણાટકના ભીમનાકોલી મંદિરમાં દશેરા પૂજા માટે પહોંચ્યા સોનિયા ગાંધી, હવે ભારત જોડો યાત્રામાં સામેલ થશે!

દેશભરમાં દશેરાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. દશેરાની ઉજવણી વચ્ચે સોનિયા ગાંધી પણ પુજા માટે કર્ણાટકના એચડી કોટા વિધાનસભા વિસ્તારના બેગુર ગામમાં ભીમનાકોલી મંદિરમાં પહોંચ્યા હતા.

નવી દિલ્હી, 05 ઓક્ટોબર : દેશભરમાં દશેરાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. દશેરાની ઉજવણી વચ્ચે સોનિયા ગાંધી પણ પુજા માટે કર્ણાટકના એચડી કોટા વિધાનસભા વિસ્તારના બેગુર ગામમાં ભીમનાકોલી મંદિરમાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની સાથે કોંગ્રેસના મોટા નેતાઓ અને સ્થાનિક કાર્યકરો હાજર હતા.

Sonia Gandhi

સોનિયા ગાંધી ભારત જોડો યાત્રામાં સામેલ થવા માટે કર્ણાટક પહોંચ્યા છે. તમને જણાવી દઈએ કે ભારત જોડો યાત્રા હાલમાં દક્ષિણમાં કર્ણાટક પહોંચી છે. 26મી તારીખથી દશેરાની ઉજવણીના કારણે યાત્રા બે દિવસ માટે રોકી દેવામાં આવી છે. યાત્રાનો 27મો દિવસ ગુરુવારથી શરૂ થશે.

આ પહેલા યાત્રાના 26માં દિવસે રાહુલ ગાંધીએ એક જ દિવસમાં મઠ, મસ્જિદ અને ચર્ચની મુલાકાત લીધી હતી. 26માં દિવસે એટલે કે સોમવારે રાહુલ ગાંધી સૌથી પહેલા મૈસૂરના સુત્તૂર મઠ ગયા હતા. અહીં તેઓ દ્રષ્ટા શ્રી શિવરાત્રી દેશકેન્દ્ર સ્વામીજીને મળ્યા હતા. આ પછી તેમણે મૈસુરમાં મસ્જિદ-એ-આઝમની મુલાકાત લીધી. જે બાદ તેઓ સેન્ટ ફિલોમેના ચર્ચમાં ગયા હતા.

સોનિયા ગાંધી લાંબા સમય બાદ કોંગ્રેસના કાર્યક્રમમાં હાજરી આપશે. માનવામાં આવે છે કે ગુરુવારે સોનિયા ગાંધી જ્યારે યાત્રામાં જોડાશે ત્યારે મોટી સંખ્યામાં સ્થાનિક કાર્યકરો સામેલ થશે. આ પહેલા સોનિયા ગાંધી સારવાર માટે લંડન ગયા હતા. તમને જણાવી દઈએ કે કોંગ્રેસ દ્વારા પાર્ટીના ઉત્થાન માટે ભારત જોડો યાત્રા શરૂ કરવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X