સોનિયાએ પાસવાનને કહ્યું- 2016માં હું રિટાયર નથી થઇ રહી!
નવી દિલ્હી, 12 ઓક્ટોબર: કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીની 2016માં રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની કોઇ યોજના નથી. એક પુસ્તકમાં સોનિયાના રિટાયરમેન્ટ અંગેનો દાવો કરવામાં આવ્યો હતો. આ વાત ખૂદ સોનિયાએ લોકજનશક્તિ પાર્ટીના નેતા રામ વિલાસ પાસવાનને જણાવી છે. પાસવાને સોનિયાની સાથે એક મુલાકાતમાં આ અફવાહ અંગે પૂછ્યું હતું.
પાસવાને જણાવ્યું કે કોગ્રેસ અધ્યક્ષે તેમને જણાવ્યું કે મેં ક્યારેય આવું નથી કહ્યું. લોકજનશક્તિ પાર્ટીના નેતા સોનિયાની સાથે તેમની 40 મિનિટની મુલાકાતની વાત કરી રહ્યા હતા. તેમણે આ મુલાકાત બિહારના લક્ષ્મણપુર બાથેમાં 16 વર્ષ પહેલા 58 દલિતોના જનસંહારના બધા 26 આરોપીઓને છોડી મૂકવાના મુદ્દા પર ચર્ચા કરવા માટે કોંગ્રેસ અધ્યક્ષા સાથે મુલાકાત કરી હતી.
મુલાકાત દરમિયાન પાસવાને સોનિયાને આગ્રહ કર્યો કે તે 2004ની જેમ જ આવતી લોકસભા ચૂંટણી પહેલા ધર્મનિરપેક્ષ પાર્ટીઓને એકજૂથ કરવાની ભૂમિકા નિભાવે. તેમણે જણાવ્યું કે મે તેમને જણાવ્યું કે જોકે ભાજપાની પાસે શિવસેના અને અકાલી દળ અને કેટલીક અન્ય પાર્ટિઓ જેવું સમર્થન છે. ત્યારબાદ તે સત્તામાં નહીં આવે. માટે એ સંભાવના છે કે એકલું યુપીએ હવે પછીની સરકાર બનાવવામાં સક્ષમ છે.
પુસ્તકમાં આગળ લખ્યું છે કે ત્યારથી જ કોંગ્રેસે રાહુલને મનાવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી, પરંતુ ત્યારે રાહુલ માન્યા નહીં. કિદવઇના જણાવ્યા અનુસાર રાહુલ કોંગ્રેસના ઉપાધ્યક્ષ બની ચૂક્યા હોય તેમ છતાં સોનિયા ગાંધીના રિટાયરમેન્ટના સમાચારે કોંગ્રેસને મુશ્કેલીમાં મૂકી દીધું છે.