સોનિયા ગાંધીએ પીએમ મોદી પર સાધ્યુ નિશાન, કહ્યુ - ગાંધી, નહેરુને બદનામ કરવાની કોશિશમાં સરકાર
કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી અને સાથે નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે. જાણો શું કહ્યુ.
નવી દિલ્લીઃ દેશ આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે. દરેક ઘરમાં ત્રિરંગા ઝુંબેશ ચાલી રહી છે. આ દરમિયાન કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે 7:30 વાગ્યે ત્રિરંગો ફરકાવ્યો અને લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રને સંબોધન કર્યુ.

સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને ઓછા આંકી રહી છે સરકાર
સોનિયા ગાંધીએ જણાવ્યુ હતુ કે છેલ્લા 75 વર્ષોમાં દેશે પ્રતિભાશાળી ભારતીયોની સખત મહેનતથી વિજ્ઞાન, શિક્ષણ, આરોગ્ય, સૂચના ટેકનોલોજી અને અન્ય ક્ષેત્રોમાં વિશ્વમાં ઓળખ બનાવી છે. સાથે જ તેમણે જણાવ્યુ હતુ કે છેલ્લા 75 વર્ષોમાં આપણે ઘણુ બધુ મેળવ્યુ છે પરંતુ વર્તમાન સરકાર સ્વતંત્ર સેનાનીઓના મહાન બલિદાન અને દેશની ગૌરવશાલી ઉપલબ્ધિઓને મહત્વહીન સાબિત કરવા મથી રહી છે, તેને સ્વીકારી શકાય નથી.

અગ્રણી દેશ તરીકે ગૌરવપૂર્ણ ઓળખ બનાવી
સોનિયા ગાંધીએ કહ્યુ કે ભારતે તેના દૂરંદેશી નેતાઓના નેતૃત્વમાં મુક્ત, ન્યાયી અને પારદર્શક ચૂંટણી પ્રણાલીની સ્થાપના કરી છે. તેણે લોકશાહી અને બંધારણીય સંસ્થાઓને મજબૂત કરી. આ સાથેહંમેશા ભાષા, ધર્મ, સંપ્રદાયની બહુલવાદી કસોટી પર ખરા ઉતરનાર ભારતે એક અગ્રણી દેશ તરીકે તેની ગૌરવપૂર્ણ ઓળખ બનાવી છે.

છેલ્લા 75 વર્ષોમાં અનેક ઉપલબ્ધિઓ મેળવી
તેમણે કહ્યુ કે આપણે છેલ્લા 75 વર્ષમાં ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે. પરંતુ આજની આત્મસંતુષ્ટ સરકાર આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને દેશનુ ગૌરવ એવા મહાન બલિદાનને તુચ્છ ગણાવવા પર તત્પર છે જે ક્યારેય સ્વીકારી શકાય નહિ.

ગાંધી-નહેરુને બદનામ કરવાની કોશિશ
રાજકીય લાભ માટે ઐતિહાસિક તથ્યો પર કોઈપણ પ્રકારની ખોટી રજૂઆત અને ગાંધી, નેહરુ, પટેલ, આઝાદ જેવા મહાન રાષ્ટ્રીય નેતાઓને ખોટા આધારે બદનામ કરવાના દરેક પ્રયાસનોભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સખત વિરોધ કરશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
