મુલાયમ સિંહનું બનશે મંદિર, સવાર-સાંજ આરતી થશે

mulayam-singh-yadav
લખનઉ, 29 નવેમ્બર : ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી બસપા સુપ્રીમો માયાવતીની મૂર્તિઓ બાદ હવે સમાજવાદી પાર્ટીના મુલાયમ સિંહ યાદવનું પણ મંદિર બનશે. જી હાં સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓએ મુલાયમ સિંહને ભગવાનનો દરજ્જો આપ્યો છે અને અલીગઢમાં તેમનું મંદિર બનાવવામાં આવી રહ્યું છે. મંદિરનો શિલાન્યાસ થઇ ગયો છે અને જલ્દી જ નિર્માણ કાર્ય શરૂ થઇ જશે. ખાસ વાત એ છે કે મુલાયમ સિંહ યાદવને ભગવાનની જેમ બિરાજમાન કરવામાં આવશે અને સવાર સાંજ આરતી કરવામાં આવશે. લોકોમાં મુલાયમ સિંહના નામનો પ્રસાદ વહેંચવામાં આવશે.

મળતી માહિતી મુજબ સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા રાજેશ સૈની અલીગઢમાં મુલાયમ સિંહ યાદવનું મંદિર બનાવી રહ્યાં છે. રાજેશ સૈનીનું કહેવું છે કે પછાત અને દલિતો માટે મુલાયમ સિંહ યાદવે જેટલું કર્યું છે તેને જોતાં તેમનું મંદિર બનાવવાનો વિચાર આવ્યો છે. રાજેશ સૈનીનું કહેવું છે કે આ તેમનો વ્યક્તિગત નિર્ણય છે. મળતી માહિતી મુજબ મુલાયમ સિંહ યાદવનું મંદિર 10 બાય 12 ફૂટનું હશે. આ મંદિરમાં 5 ફૂટ ઉંચી મૂર્તિ રાખવામાં આવશે. એક વર્ષની અંદર આ મંદિર બની જશે જેની પાછળ 10 લાખ રૂપિયાનો ખર્ચ થશે એવો અંદાઝો લગાવવામાં આવે છે.

મુલાયમ સિંહના મંદિર બનાવવાને લઇને રાજકીય ગરમાવો આવી ગયો છે. સમાજવાદી પાર્ટીમાં જ તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સમાજવાદી પાર્ટીના કેટલાક નેતાઓનું કહેવું છે કે જીવતા લોકોની મૂર્તિ સ્થાપવી અથવા તેમના નામનું મંદિર બનાવવું તે સમાજવાદની વિચારધારાની વિરૂદ્ધ છે. જો કે સમાજવાદી પાર્ટી તરફથી આ અંગે કોઇ પ્રતિક્રિયા આવી નથી, અત્રે ઉલ્લેખનીય છે કે દક્ષિણ ભારતમાં રાજનેતાઓ અને ફિલ્મ સ્ટારનું મંદિર બનાવવાનું ચલણ છે. જો મુલાયમ સિંહ યાદવનું મંદિર અલીગઢમાં બનાવવામાં આવશે તો ઉત્તર ભારતમાં આ પ્રથમ મંદિર હશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X