સ્પૉટ ફિક્સિંગ: 'શ્રીસંતની ભૂલથી કરાઇ છે ધરપકડ'

શ્રીસંતના વકીલ દિપક પ્રકાશે પત્રકારોને જણાવ્યું હતું કે 'શ્રીસંતને ભૂલથી અથવા ગેરસમજમાં ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસને કાં તો ખોટી જાણકારી મળી છે કાંતો તેમને શ્રીસંતની ભૂલથી ધરપકડ કરી લીધી છે.
શ્રીસંત સાથે રાજસ્થાન રોયલ્સના અન્ય બે ખેલાડીઓ, અંકિત ચૌહાણ તથા અજીત ચંદેલાની આઇપીએલ-6માં સ્પૉટ ફિક્સિંગના આરોપમાં બુધવારે મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. ત્રણેય ખેલાડીઓની સાથે-સાથે 11 સટોડિયાઓ પર છેતરપિંડી તથા આપરાધિક કાવતરાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર શુક્રવારે પુછપરછ દરમિયાન અંકિત ચૌહાણે સ્પૉટ ફિક્સિંગ વિવાદમાં સંડોવણી હોવાની વાત સ્વિકારી લીધી છે. જો કે પ્રકાશે કહ્યું છે કે 'સ્વિકારોક્તિનો કોઇ અર્થ નથી'.
દિપક પ્રકાશે કહ્યું હતું કે 'ગમે તે હોય, શ્રીસંતે ગુનો સ્વિકાર્યો નથી. ભલે તેમનું નામ વિવાદોમાં સામેલ હોય, પરંતુ શ્રીસંતને લઇને કોઇ મામલો નથી. તે આ બધાથી અલગ છે. શ્રીસંતના વકીલના જણાવ્યા અનુસાર 'શ્રીસંત સંપૂર્ણ સહયોગ આપી રહ્યાં છે અને તેમને પોતે નિર્દોષ હોવાનું વિવરણ આપી દિધું છે.
દિપક પ્રકાશે શ્રીસંત દ્વારા સટોડિયાઓના ઇશારે રૂમાલનો ઉપયોગ કર્યો હોવાનો આરોપ નકારી કાઢ્યો છે અને કહ્યું હતું કે ગરમીને મોટાભાગના ખેલાડીઓ રૂમાલનો ઉપયોગ કરે છે.
-
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
