શ્રીલંકા નેવીએ ભારતીય માછીમારો પર કર્યો હુમલો, ઘૂસણખોરીનો લગાવ્યો આરોપ
શ્રીલંકાની નેવી (નૌકાદળ)એ ભારતીય માછીમારોના એક દળ પર સોમવારે (26 ઓક્ટોબર) હુમલો કર્યો.
શ્રીલંકાની નેવી (નૌકાદળ)એ ભારતીય માછીમારોના એક દળ પર સોમવારે (26 ઓક્ટોબર) હુમલો કર્યો. જેમાં એક ભારતીય માછીમાર ઘાયલ થઈ ગયો છે. રિપોર્ટ મુજબ શ્રીલંકન નૌકાદળે ભારતીય માછીમારો પર ઘૂસણખોરી કરવાનો આરોપ લગાવીને હુમલો કર્યો છે. હુમલામાં ઘાતક હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો છે. શ્રીલંકાનો આરોપ છે કે આ માછીમારો તેમની સીમામાં બળજબરીથી ઘૂસ્યા હતા.

માછીમારોએ આંતરરાષ્ટ્રીય સીમાના ઉલ્લંઘનથી કર્યો ઈનકાર
એનડીટીવીના રિપોર્ટ મુજબ માછીમારોએ એ વાતનો ઈનકાર કર્યો છેકે તે શ્રીલંકાના પાણીમાં ઘૂસ્યા હતા. કથિત રીતે પત્થર ફેંકવામાં આવ્યા અને તેમની જાળ ફાડી નાખવામાં આવી છે. અધિકારીઓએ કહ્યુ કે હજુ સુધી કોઈ ઔપચારિક ફરિયાદ નથી અે તે ઘટનાની તપાસ કરી રહ્યા છે. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ બધા માછીમારો તટ પર પાછા આવી ગયાછે. કોઈએ કોઈ ફરિયાદ આપી નથી. ઘાયલ માછીમાર તમિલનાડુના રામેશ્વરમનો રહેવાસી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ શ્રીલંકાને આ ઘટનાની અધિકૃત માહિતી આપીને તેમને આ વિશે સ્પષ્ટીકરણ માંગવામાં આવ્યુ છે.

જાણો શું રહ્યો છે વિવાદ
તમને જણાવી દઈએ કે ઐતિહાસિક રીતે ભારતીય અને લંકાના માછીમારો સીમા પારથી માછલી પકડતા રહે છે. જો કે, આંતરરાષ્ટ્રીય સીમા રેખા નક્કી થયા બાદ શ્રીલંકાએ ભારતીય માછીમારોને પ્રવેશને રોકવાનુ શરૂ કરી દીધુ હતુ, ખાસ કરીને લિટ્ટે(લિબરેશન ટાઈગર્સ ઑફ તમિલ ઈલમ)ની હાર બાદથી.

બે લાખ માછીમારો તમિલનાડુમાં રહે છે
આ પહેલા ભારતના કટચેહેવુ દ્વીપને શ્રીલંકામાં સ્થાનાંતરિત કરવાથી ભારતીય માછીમારો માટે માછલી પકડવાની જગ્યા ઘટી ગઈ હતી. પૂર્વ મુખ્યમંત્રી જે જયલલિતાએ શ્રીલંકા સામે એક પટ્ટા સમજૂતીનો પ્રસ્તાવ મૂક્યો હતો જેથી તમિલનાડુના માછીમારોને કાનૂની રીતે લંકાના પાણીમાં માછલી પકડી શકે. લગભગ બે લાખ માછીમારો તમિલનાડુમાં રહે છે. રાજ્ય અને કેન્દ્રમાં સફળ સરકારોએ પણ માછલી પકડવા પર નિર્ભર બે લાખ લોકો માટે એક સ્થાયી વૈકલ્પિક આજીવિકાના અવસર વિકસિત કર્યા નથી.
-
Petrol Diesel Price: 22 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન












Click it and Unblock the Notifications
