ધર્મગુરૂ બુરહાનુદ્દીનના અંતિમ દર્શનમાં નાસભાગ, 18ના મોત
મુંબઇ, 18 જાન્યુઆરી: મુંબઇમાં નાસભાગમાં 18 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 60થી વધુ લોકોને ઇજા પહોંચી છે. આ ભીડ ધર્મગુરૂ ડૉ. બુરહાનુદ્દીનના અંતિમ દર્શન માટે ભીડ જામી હતી. આ ભીડમાં રાત્રે લગભગ સવા 3 વાગે મચી હતી. 102 વર્ષની ઉંમરે બુરહાનુદ્દીનનું ગઇકાલે અવસાન પામ્યા હતા. બુરહાનદ્દીન વોહરા સંપ્રદાય સાથે સંકળાયેલા હતા. તેમના અંતિમ દર્શન માટે રાતે 50 હજારથી વધુ લોકો પહોંચ્યા હતા અને પોલીસ આ ભીડને કાબૂમાં કરી શકી ન હતી.
આ કિસ્સો માલાબાર હિલ્સ વિસ્તારનો છે. આજે બપોરે ધર્મગુરૂ બુરહાનુદ્દીનની અંતિમ યાત્રા નિકળવાની છે તેને લઇને પોલીસ સામે મોટો પડકાર છે. મળતી માહિતી મુજબ ભારે ભીડના લીધે નાસભાગની સ્થિતી સર્જાઇ હતી અને શનિવારે રાત્રે ત્રણ વાગે નાસભાગ મચી હતી. બીએમસીના સૂત્રોના જણાવ્યા અનુસાર 18 લોકોના મોત નિપજ્યાં છે.

ઇજાગ્રસ્તોને નજીક હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. નાસભાગ બાદ પોલીસે ડૉ. બુરહાનુદ્દીનના ઘરની આસપાસ ગાડીઓની અવરજવર પર પ્રતિબંધ લગાવી દિધો છે. ડૉ. બુરહાનુદ્દીન દાઉદી વોહરા સમાજના 52મા ધર્મગુરૂ હતા. તેમના અવસાન બાદ દુનિયાભરના વોહરા સમાજમાં માતમ છવાઇ ગયો છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
