યુપી વિધાનસભામાં જબરદસ્ત હોબાળો, રાજ્યપાલ પર ફેંકાયા કાગળો
લખનઉ, 14 ફેબ્રુઆરી: મહાકુંભ દરમિયાન અલ્હાબાદ રેલવે સ્ટેશન પર સર્જાયેલી કરુણાંતિકા પર આજે યુપી વિધાનસભામાં ભારે હોબાળો મચી ગયો. યુપી વિધાનસભાના આ સત્રની શરૂઆત આજથી જ થઇ છે અને શરુઆતમાં જ વિપક્ષે જોરદાર હંગામો મચાવ્યો છે.
કાનૂન વ્યવસ્તાની સામે નારેબાજી કરતા બીએસપી વિધાયક બેનર લઇને બેંચ પર ચઢી ગયા. જ્યારે કેટલાક વિધાયકોએ રાજ્યપાલ બી.એલ જોશી પર કાગળો પણ ફેંક્યા અને સરકાર વિરુદ્ધ નારેબાજી કરી.

અત્રે ઉલ્લેખનીય છે કે ગયા રવિવારે મોડી સાંજે અલ્હાબાદના રેલવે સ્ટેશન પર ભારે ભીડ અને ટ્રેનની અવ્યવસ્થાના કારણે મચેલી ભાગદોડમાં 36 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ગંભીરરીતે ઘાયલ થયા હતા. જોકે આ ઘટના દ્વારા વિપક્ષને વિધાનસભામાં વિરોધ કરવાનો મુદ્દો મળી ગયો છે.












Click it and Unblock the Notifications
