Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મોદીને માલાર્પણ, રાજનાથે ગુજરાતની જનતાનો માન્યો આભાર

modi-rajnath
નવી દિલ્હી, 2 માર્ચઃ નવી દિલ્હી ખાતે ભાજપની કાર્યકારિણીની બેઠક ચાલી રહી છે. બેઠક દરમિયાન 2014માં આવનારી લોકસભાની ચૂંટણીને લઇને મહામંથન કરવામાં આવી રહ્યું છે અને બેઠકમાં આવેલા દિગ્ગજ નેતા અને કાર્યકર્તાઓ દ્વારા નરેન્દ્ર મોદીને દેશની જરૂરત અને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકે ગણાવવામાં આવતા એવા અનુમાનો લગાવવામાં આવી રહ્યાં છે કે, આજની બેઠક દરમિયાન નરેન્દ્ર મોદીના નામ પર ભાજપ દ્વારા અંતિમ મહોર લગાવવામાં આવી શકે છે. આ તકે કાર્યકર્તાને સંબોધતા પાર્ટીના અધ્યક્ષ રાજનાથ સિંહે કહ્યું કે ગુજરાતમાં વિજયની હેટ્રિક નોંધાવનાર નરેન્દ્ર મોદીને ઉભા થઇને તાળી પાડીને તેમનું અભિવાદન કરવામાં આવે અને હું તમને માલાર્પણ કરું છું. આ સાથે જ હું ગુજરાતની જનતાનો આભાર માનું છું.

ભારતીય રાજકીય ઇતિહાસમાં કોઇ પણ રાજ્યમાં કોઇ એક વ્યક્તિના નેતૃ્તવમાં કોઇએ સત્તા હાસલ કરી નથી, નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ત્રીજી વખત સફળતા મળી છે. તેમણે હેટ્રિક બનાવવાનું કામ કર્યું છે, ખરેખર અમને સારી અનુભતી થઇ જ્યારે ગુજરાતના પરિણામ આવ્યા, અમે ક્યારેક ભાજપને કોઇ એક વ્યક્તિના નેતૃત્વમાં ત્રણ વખત સત્તા પર જોયું નથી. વિશ્વ ક્ષેત્રએ પણ તેમના વિકાસ, ગુડ ગવર્નન્સની પ્રશંસા થઇ રહી છે.

ગુજરાતની જનતા, અને કાર્યકર્તાને અભિનંદન પાછવું ઠું કે જેમણે મોદની ત્રીજી વખત મુખ્યમંત્રી બનાવ્યા. શબ્દોથી અભિનંદન આપવા ઉચિત નથી તેથી તમામ લોકો પોતાની જગા પર ઉભા થઇને તાલી પાડીને મોદીને અભિનંદન પાઠવે. અમે માત્ર હેટ્રિક બનાવનારનું સ્વાગત તાલી કે શબ્દો નહીં પરંતુ દેશના તમામ કાર્યકર્તાઓ તરફથી તેમનું માલ્યાર્પણ અભિવાદન કરવા માંગુ છું.

બીજી વખત અધ્યક્ષની જવાબદારી તમે મને સોંપી છે. આપણી સામે ઘણા પડકારો છે. મારો વિશ્વાસ પાકો થઇ ગયો છે કે, વિજય પ્રાપ્ત કરીશ. તમે બઘાએ સારું સ્વાગત કર્યું છે કે, સ્વાગત અભિનંદન એકતરફી ના હોવો જોઇએ, તેથી હું તમામનું શીશ જુકાવીને અભિનંદન કરું છું. આપણે ઇચ્છતા હતા કે નીતિન ગડકરી જ બીજી વખત આપણા અધ્યક્ષ બને પરંતુ તેમના પર જેવા આરોપો લાગ્યા તેનાથી તેઓ દુઃખી થયા છે, અમે અનેક વખત તેમને મનાવ્યા પરંતુ તેમણે ફરીથી અધ્યક્ષ બનવાની ના પાડી અને બાદમાં આ જવાબદારી મે સ્વિકારી હતી.

તેમના પર જે આરોપો લગાવવામાં આવ્યા છે, તેની સામે લડવા માટે આખી પાર્ટી તેમની સાથે છે, કેવી રીતે તેમણ પાર્ટી સંગઠનને મજબૂતી આપી તે હું જાણું છે, કાલ્પનીક ક્ષમતાના આધારે પહેલીવાર પબ્લિક પોલીસી સહિતના અનેક કાર્ય કર્યા જે હું નહતો કરી શક્યો.

જો હું કહું કે ગ્લોબલ યુથ ઓફ ઇન્ડિયા કોઇને કહેવામા આવા જોઇએ તે સ્વામી વિવેકાનંદ છે, ધર્મ સંસદમાં જઇને ભારતના યુવાનોને ગ્લોબલ યુથ માનસિકતા અપાવવા પ્રયત્નો કર્યા હતા. પ્રયાગ કુંભ અને વિવેકાનની યાત્રા આધ્યાત્મિકતા અને રાષ્ટ્રીય સ્વાભિમાનને જીવંત રાખવા આપણે શું કરવું જોઇએ, આ સાથે આપણને બે દુખઃદ ઘટના પણ મળી, કુંભમાં જે દુર્ધધટના થઇ તેનાથી અમે દુઃખી છીએ, સરકાર રેલવેમાં ભાવ વધારી દે છે પરંતુ આટલો મોટો સમારોહ હોય છે ત્યારે તે કોઇ આયોજન કરી શકી નહોતી. હૈદરાબાદમાં કેવી રીતે આંતકવાદીઓએ 16 લોકોની જાન લીધી આ બન્ને દુખઃદ ઘટના પેદા થઇ છે તેની સાથે એક સુખઃદ ઘટના પણ બની હતી.

હમારા નેતા કેસાઓ નરેન્દ્ર મોદી જેસા હો

એક તરફ રાજનાથ સિંહ મોદીનું અભિવાદન કરી રહ્યાં હતા, પાર્ટીના તમામ દિગ્ગજ નેતાઓ અને કાર્યકર્તાઓ સ્થળ પર ઉભા રહીને તાળી પાડવા માટે કહી રહ્યાં હતા તો બીજી તરફ પાર્ટીના નેતાઓના મોઢે માત્ર એક જ નારા લાગી રહ્યાં હતા, હમારા નેતા કેસા હો નરેન્દ્ર મોદી જેસા હો

ગુજરાત, મધ્યપ્રદેશમાં ભાજપે કામ સારું કર્યુ

ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકને સંબોધતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ નીતિન ગડકરીએ ઉપસ્થિત કાર્યકર્તાઓને જણાવ્યું હતું, કે આજે દેશ મોંઘવારી અને ભ્રષ્ટાચારથી પરેશાન છે, ત્યારે કેન્દ્રમાં સત્તા પરિવર્તન લાવીને દેશની દીશા બદલવાની જરૂર છે. ભાજપે ગુજરાત, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં સારો વિકાસ કર્યો છે, પાર્ટી માટે પછાત વર્ગના મતદારોનું સમર્થન નહીં હોવાના કારણે ઘણું નુક્સાન જઇ રહ્યું હતું, પરંતુ ઉક્ત ત્રણેય રાજ્યોએ અત્યોંદય જેવી લાભકારી યોજના થકી પછાત વર્ગના લોકોને મદદરૂપ થઇ તેમનો વિશ્વાસ જીત્યો છે અને તેના કારણે આપણી પાર્ટી ઉક્ત રાજ્યોમાં એ લોકોનો વિશ્વાસ જીતવામાં અને સમર્થન મેળવવામાં સફળ નિવડી છે. જો કે, હજું પણ આપણે ઘણું કામ કરવાનું છે.

મોંઘવારી અંગે બોલતા તેમણે કહ્યું કે, દેશમાં મોંઘવારી સતત વધી રહી છે આજે દેશ મોંઘવારીગ્રસ્ત છે, આપણી પાર્ટીએ અનેક વિરોધ આંદોલન કર્યા, તેમ છતાં દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધી રહ્યાં છે. જેને લઇને અમે બાયોક્ષેત્રમાં સારુ કામ કર્યું છે. તમામ ક્ષેત્રમાં વિરોધ પક્ષ તરીકે દેશ જોગ સારૂં કરવાનો અમે દરેક લેવલે પ્રયાસ કર્યો છે. ભાજપના નવા કાર્યાલય અંગે વાત કરતા તેમણે કહ્યું કે, અમે એક નિર્ધાર કર્યો હતો કે પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આપવામાં આવેલા દાનમાંથી પાર્ટી માટે કાર્યકર્તાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા એક ભવ્ય ભવનની રચના કરવામા આવશે, જેનું કામ રાજનાથ સિંહના નેતૃત્વ હેઠળ પૂર્ણ થશે તેવી મને આશા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X