રમખાણો કરતા અને ભડકાવનારાઓ પર સખત કાર્યવાહી કરે રાજ્ય: મનમોહન સિંહ
નવી દિલ્હી, 23 સપ્ટેમ્બર: વડાપ્રધાન મનમોહન સિંહે સોમવારે સાંપ્રદાયિક હિંસાની વધતી ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરી છે અને જણાવ્યું છે કે સરકાર એનો ખ્યાલ રાખશે કે તેના દોષીઓને સજા મળે. દિલ્હીમાં રાષ્ટ્રીય એકતા પરિષદની બેઠકના ઉદઘાટનમાં વડાપ્રધાને જણાવ્યું કે ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં થયેલા રમખાણના પગલે આ બેઠકનું આગવું મહત્વ છે. મુઝફ્ફરનગરમાં સાત સપ્ટેમ્બરના રોજ થયેલી સાંપ્રદાયિક હિંસામાં 48 લોકોના મોત થયા હતા.
વડાપ્રધાને જણાવ્યું કે મુઝફ્ફરનગર હિંસામાં જાનમાલનું ખૂબ જ નુકસાન થયું છે. છેલ્લા કેટલાક મહિના દરમિયાન અમે કાશ્મીર અને અસમમાં પણ સાંપ્રદાયિક હિંસા જોઇ છે. તેમણે જણાવ્યું કે સરકારને હિંસાને પડકારવા માટે દરેક સંભવ પગલા ઉઠાવવાની જરૂરીયાત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય એકતા પરિષદની બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ હાજરી આપી ન્હોતી. બીજેપી શાસિત રાજ્યોનો કોઇપણ મુખ્યમંત્રી આ બેઠકમાં ભાગ નથી લેવાના.
-
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
અમદાવાદના ભદ્ર ફેરીયા બજાર મુદ્દે સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ, જાણો શું કહ્યું કોર્ટે? -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
અમદાવાદના મયુર ડાયકેમ સાથે જોડાયેલા સ્થળો પર ઈન્કમટેક્સના દરોડા -
Weather News: યુપી-બિહાર સહિત 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Rupee vs Dollar: ઈરાન-ઈઝરાયલ યુદ્ધની ભારત પર સીધી અસર! ડોલર સામે રૂપિયો ગગડ્યો, શું છે આજનો રેટ? -
ગુજરાતમાં આગામી 7 દિવસ કમોસમી વરસાદની આફત, ત્યારબાદ એપ્રિલમાં હીટવેવની આગાહી -
CSK IPL Schedule 2026: ચેન્નાઈ સુપર કિંગ્સનું શેડ્યૂલ, ફરી દેખાશે માહીનો જલવો, સેમસન પણ મચાવશે તબાહી?











Click it and Unblock the Notifications
