રમખાણો કરતા અને ભડકાવનારાઓ પર સખત કાર્યવાહી કરે રાજ્ય: મનમોહન સિંહ
નવી દિલ્હી, 23 સપ્ટેમ્બર: વડાપ્રધાન મનમોહન સિંહે સોમવારે સાંપ્રદાયિક હિંસાની વધતી ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરી છે અને જણાવ્યું છે કે સરકાર એનો ખ્યાલ રાખશે કે તેના દોષીઓને સજા મળે. દિલ્હીમાં રાષ્ટ્રીય એકતા પરિષદની બેઠકના ઉદઘાટનમાં વડાપ્રધાને જણાવ્યું કે ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં થયેલા રમખાણના પગલે આ બેઠકનું આગવું મહત્વ છે. મુઝફ્ફરનગરમાં સાત સપ્ટેમ્બરના રોજ થયેલી સાંપ્રદાયિક હિંસામાં 48 લોકોના મોત થયા હતા.
વડાપ્રધાને
જણાવ્યું
કે
મુઝફ્ફરનગર
હિંસામાં
જાનમાલનું
ખૂબ
જ
નુકસાન
થયું
છે.
છેલ્લા
કેટલાક
મહિના
દરમિયાન
અમે
કાશ્મીર
અને
અસમમાં
પણ
સાંપ્રદાયિક
હિંસા
જોઇ
છે.
તેમણે
જણાવ્યું
કે
સરકારને
હિંસાને
પડકારવા
માટે
દરેક
સંભવ
પગલા
ઉઠાવવાની
જરૂરીયાત
છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય એકતા પરિષદની બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ હાજરી આપી ન્હોતી. બીજેપી શાસિત રાજ્યોનો કોઇપણ મુખ્યમંત્રી આ બેઠકમાં ભાગ નથી લેવાના.