ગાજીપુરઃ પીએમ મોદીની રેલી બાદ પોલીસ પર પથ્થરમારો, એક જવાનનું મોત
ગાજીપુરઃ પીએમ મોદીની રેલી બાદ પોલીસ પર પથ્થરમારો, એકનું મોત
વારાણસીઃ પીએમ નરેન્દ્ર મોદીની રેલી બાદ ગાજીપુરમાં બબાલ થઈ. પહેલા અહેવાલ મળ્યા હતા કે રેલીથી પરત ફરી રહેલ ભાજપના કાર્યકર્તાઓ સાથે ઓમપ્રકાશ રાજભરની પાર્ટી સુભાસપાના કાર્યકર્તાઓને બબાલ થઈ. જેમાં પથ્થરમારાની ઘટના પણ સામે આવી. સૂચના મુજબ આ બબાલને પોલીસે સાંત કરી લીધી પરંતુ બાદમાં નોનહરા પોલીસ સ્ટેશનના કઠવા મોડ પોલીસ ચોકી પાસે પોલીસકર્મીઓ પર પથ્થરમારો થયો હતો જેમાં કોન્સ્ટેબલ સુરેશ વત્સ શહીદ થયો.

મોદીએ રેલી યોજી
જાણકારી મુજબ પીએમ મોદીની વીઆઈપી ડ્યૂટીથી પરત ફરી રહેલ પોલીસકર્મીઓ પર પથ્થરમારો થયો. નિષાદ સમાજના લોકો આરક્ષણની માગણીને લઈ ધરણા પર બેઠા હતા ત્યારે ઉગ્ર થયેલી ભીડે પોલીસકર્મીઓ પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં કરીમુદ્દીન પોલીસ સ્ટેશનમાં તહેનાત કોન્સ્ટેબલ સુરેશ વત્સનું મોત થયું. આ બબાલમાં પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ પણ મળી રહ્યા છે.

શાસ્ત્રી ઘાટ પર કર્યું પ્રદર્શન
જે સમયે પીએણ મોદી ગાજીપુર અને પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં કરોડોની ભેટ જનતાને સોંપી રહ્યા હતા તે સમયે એનડીએ ગઠબંધનમાં સામેલ અને સરકારમાં સહયોગીની ભૂમિકા વાળા ઓમપ્રકાશ રાજભરની પાર્ટી સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના કાર્યકર્તા વારાણસીના શાસ્ત્રી ઘાટ પર પીએમ મોદી વિરુદ્ધ ભારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા.

આ કારણે થઈ બબાલ
આ નજારો વારાણસીના શાસ્ત્રીય ઘાટનો છે જ્યાં ધરણા પર બેઠેલા લોકો પોતાની સરકાર વિરુદ્ધ જ નારેબાજી કરી રહ્યા છે. શનિવારે પીએમ મોદી પોતાના સંસદીય ક્ષેત્રમાં આવવાના હોય ધરણા માટે પણ આ દિવસ જ પસંદ કરવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના લોકોની માંગ છે કે પછાતના 27 ટકા આરક્ષણનું વિભાજન કરવામાં આવે અને તેમાં અન્ય જાતિના લોકને પણ જોડવામાં આવે.

ઓમપ્રકાશ રાજભરે સરકાર વિરુદ્ધ પહેલ શરૂ કરી
ઉલ્લેખનીય છે કે સુભાસપાના વિરોધ અને ધરણા પ્રદર્શન 24 ડિસેમ્બર યૂપીના 75 જિલ્લામાં પોતાની સરકારની નીતિઓ વિરુદ્ધ શરૂ થયું છે. જેની આગેવાની ખુદ સુભાસપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને યૂપીમાં કેબિનેટ મંત્રી ઓમપ્રકાશ રાજભરે કરી છે. આ જ શ્રેણીમાં શનિવારે વારાણસીમાં પણ પીએણના આગમનને પગલે પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
