JEE ની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીએ કોટામાં કરી આત્મહત્યા, આ વર્ષે 20 વિદ્યાર્થીઓએ આપ્યો જીવ
આઇઆઇટીમાં પ્રવેશ મેળવવા માટે રાજસ્થાનના કોટ ખાસ માનવામાં આવે છે. અંહિયા દેશભરમાથી યુવા તૈયારી માટે આવી પહોચે છે. જેથી કરીને તે જોઇન્ટ એન્ટ્રેન્સ એક્ષામિનેશન એટલે કે, JEE માં સફળતા મેળવી શકે.

પરંતુ અંહિયા ફક્ત 17 વર્ષના વિદ્યાર્થીએ ગુરુવારે રાત્રે આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે જણાવ્યુ હતુ કે, વિદ્યાર્થી અંહિયા જેઇઇની તૈયારી કરવા માટે આવ્યો હતો. પોલીસે આ વર્ષે અત્યાર સુધીમાં 20 વિદ્યાર્થીઓએ આત્મ હત્યા કરી ચૂક્યા છે.
જેઇઇ અે નીટની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીની વાત કરે તો આ મહિને આ ત્રીજી ઘટના છે. જે આકડા ઉપલબ્ધ છે.તેના અનુસાર કોટામાં દર મહિને અંદાજે ત્રણ વિદ્યાર્થી આત્મહત્યા કરે છે. 2018 માં સૌથી વધારે 20 વિદ્યાર્થીઓએ આત્મ હત્યા કરી હતી.
એવામાં જો એક પણ વિદ્યાર્થી પણ આત્મહત્યા કરી તો એક વર્ષની અંદર જ આ આંકડો 20 ની પાર કરી દેશે. જે કોઇ પણ વર્ષ કરતા સૌથી વધારે હશે.
પોલીસ અનુસાર વિદ્યાર્થી બિહારનો રહેનાર હતો. તે અંહિયા 6 મહિના પહેલા જ આવ્યો હતો. તે મહાવીર નગરમાં સ્થિત હોસ્ટેલમાં રહેતો હતો. એસએચઓ જવાહર નગર શિવરાજ સિહએ જણાવ્યુ હતુ કે, છેલ્લા ત્રણ દિવસમાં વિદ્યાર્થીના પિતા તેની સાથે રહી રહ્યા હતા.












Click it and Unblock the Notifications
