સુદાન ફેક્ટરીમાં થયો વિસ્ફોટ, 18 ભારતીય સહિત 23 લોકોના મોત, હેલ્પલાઇન નમ્બર જાહેર
સુદાનની રાજધાની ખારતૂમમાં એક ફેક્ટરીની અંદર ગેસ ટેન્કર વિસ્ફોટમાં 23 લોકોનાં મોત નીપજ્યાં છે. મૃત્યુ પામેલા લોકોમાં 18 ભારતીયો પણ છે.
સુદાનની રાજધાની ખારતૂમમાં એક ફેક્ટરીની અંદર ગેસ ટેન્કર વિસ્ફોટમાં 23 લોકોનાં મોત નીપજ્યાં છે. મૃત્યુ પામેલા લોકોમાં 18 ભારતીયો પણ છે. આ દુર્ઘટનામાં 130 થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાંથી ઘણાની હાલત ગંભીર છે. વિદેશ પ્રધાન એસ જયશંકરે અકસ્માત અંગે દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું છે કે, આ દુર્ઘટનામાં ઘણા ભારતીય મજૂરો મરી ગયા છે અને ઘણા ઘાયલ થયા છે. વિદેશ પ્રધાને પોતાના ટ્વીટ સંદેશમાં 24 કલાક ઇમરજન્સી નંબર પણ શેર કર્યો છે. આ નંબર પર કોલ કરીને માહિતી મેળવી શકાય છે, આ હેલ્પલાઇન નંબર +249-921917471 છે.

ખારતુમના બાહરી વિસ્તારમાં આવેલી સિરામિક ફેક્ટરી સલુમીમાં મંગળવારે રાત્રે આ અકસ્માત થયો હતો. ફેક્ટરીમાં એલપીજી ટેન્કરમાં થયેલા વિસ્ફોટમાં 23 લોકોનાં મોત નીપજ્યાં અને 130 થી વધુ ઘાયલ થયા. સુડાનમાં ભારતીય દૂતાવાસે મંગળવારે બનેલા બનાવમાં કેટલા ભારતીય લોકોનાં મોત થયા તે અંગેના અહેવાલ આપ્યા વિના જાનહાનીનો ઉલ્લેખ કર્યો છે. મંગળવારે દૂતાવાસે તેની વેબસાઇટ પર જાણ કરી કે ઘણા ભારતીય કામદારો ઘાયલ થયા છે.
આ ઘટના બાદથી 16 ભારતીય લાપતા હોવાનું નોંધાયું છે. ભારતીય દૂતાવાસે એક પ્રકાશન જારી કરીને જણાવ્યું છે કે 18 ભારતીયોનાં મોત નીપજ્યાં છે. સુડાન સ્થિત ભારતીય દૂતાવાસ તરફથી જાણ કરવામાં આવી છે કે આ ફેક્ટરીમાં 50થી વધુ ભારતીય મજુર કામ કરે છે.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ



Click it and Unblock the Notifications
