IPLની બાકીની મેચ થશે કે લાગશે બેન, SC કરશે નિર્ણય
અત્રે ઉલ્લેખનીય છે કે ફિક્સિંગ કાંડને જોતા સુપ્રીમ કોર્ટમાં આઇપીએલની બાકીની મેચો પર પણ પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી હતી. જેને સુપ્રીમ કોર્ટે સ્વીકારી લીધી અને બપોરે તેની સુનવણી કરશે.
અરજીમાં માંગ કરવામાં આવી છે કે સેમીફાઇનલ અને ફાઇનલ મેચો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી આઇપીએલમાં ફિક્સિંગની તપાસ પૂરી ના થઇ જાય ત્યા સુધી આઇપીએલની મેચો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવે.
સાથે સાથે આ અરજીમાં એ પણ માંગ કરવામાં આવી છે કે સુપ્રીમ કોર્ટની દેખરેખમાં એસઆઇટી બનાવવામાં આવે અને આઇપીએલ ફિક્સિંગની તપાસ કરાવવામાં આવે. આમાં મોટા મોટા લોકો સામેલ છે. જે દેશ માટે ઠીક નથી.
અત્રે નોંધનીય છે કે આઇપીએલના છઠ્ઠા સિઝનમાં આજથી પ્લે ઓફ મુકાબલા શરૂ થઇ રહ્યા છે. અને આજે પહેલા પ્લે ઓફ મુકાબલામાં દિલ્હી ચેન્નાઇ અને મુંબઇની ટીમ દિલ્હી ખાતે ટકરાશે.