સરકારની ભલામણ પર સુપ્રીમ કોર્ટે NRCની ડેડલાઈન 31 જુલાઈથી વધારીને 31 ઓગસ્ટ કરી
સરકારની ભલામણ પર સુપ્રીમ કોર્ટે NRCની ડેડલાઈન 31 જુલાઈથી વધારીને 31 ઓગસ્ટ કરી
સુ્પ્રીમ કોર્ટે આસામમાં એનઆરસીની ફાઈનલ લિસ્ટ તૈયાર કરવાની ડેડલાઈનને એક મહિના માટે વધારી દીધી છે. સુપ્રીમ કોર્ટે ડેડલાઈનને 31 જુલાઈથી વધારીને 31 ઓગસ્ટ કરી દીધી છે. NRC મામલે કેન્દ્ર સરકાર અને આસામ સરકારે એક મહિનાની સમય સીમા વધારવાની અપીલ કરી હતી. બંને સરકારે કહ્યું હતું કે કોઑર્ડિનેટરે આ મામલે સારું કામ કર્યું છે, પરંતુ અમે લાખો લોકોના મામલે કામ કરી રહ્યા છીએ.

સરકારનો તર્ક હતો કે બાંગ્લાદેશની બોર્ડર પાસે લાખો લોકો ખોટી રીતે NRCના નામમાં આવી ગયા છે. જે લોકોનું નામ જોડાયેલું છે તેઓ ગેરકાયદે ઘુણસખોરો છે. સીમાવર્તી વિસ્તારોમાં કડક સર્વેક્ષણની જરૂરત છે. 20 ટકાથી વધુ લોકોના ફરીથી વેરિફિકેશનની જરૂરત છે. તેમણે આગળ કહ્યું હતું કે સ્થાનિક લોકો સાથે મળી તેમણે ગડબડ કરી રાખી છે.
જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર આસામની રાષ્ટ્રીય પંજીનો પહેલો ડ્રાફ્ટ 31 ડિસેમ્બર 2017 અને એક જાન્યુઆરી 2018 દરમિયાન પ્રકાશિત થયો હતો. જેમાં 3.29 કરોડ અરજદારોમાંથી 1.9 કરોડ લોકોના નામ સામેલ નહોતા કરવામાં આવ્યાં. 20મી સદીની શરૂઆતથી બાંગ્લાદેશથી ગેરકાયદેસર ઘુસણખોરીની સમસ્યાથી પીડાઈ રહેલ આસામ એકલું રાજ્ય છે જ્યાં પહેલીવાર 1951માં રાષ્ટ્રીય નાગરિક પંજીકરણ તૈયાર કરવામાં આવ્યું હતું.












Click it and Unblock the Notifications
