EWS Reservation: સુપ્રીમ કોર્ટનો ચુકાદો, ગરીબ સવર્ણોને 10 ટકા અનામત ચાલુ રહેશે
સુપ્રીમ કોર્ટે ગરીબ 'સવર્ણો'ને 10 ટકા અનામત આપવાના 103માં બંધારણીય સુધારાની માન્યતાને પડકારતી અરજીઓ પર પોતાનો ચુકાદો આપ્યો છે.
Supreme Court on Upper Cast Reservation: સુપ્રીમ કોર્ટે ગરીબ 'સવર્ણો'ને 10 ટકા અનામત આપવાના 103માં બંધારણીય સુધારાની માન્યતાને પડકારતી અરજીઓ પર પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કહ્યુ છે કે આર્થિક આધાર પર અનામતનો નિર્ણય ચાલુ રહેશે. ગરીબ સવર્ણોને શાળા કૉલેજોમાં એડમિશન અને સરકારી નોકરીઓમાં 10 ટકા અનામત આપવા પર પાંચમાંથી ચાર જજોએ તરફેણ કરી હતી.

સીજેઆઈ યુયુ લલિત, જસ્ટિસ દિનેશ મહેશ્વરી, જસ્ટિસ બેલા એમ ત્રિવેદી અને જસ્ટિસ જેબી પારડીવાલાએ બહુમતી ચુકાદો આપ્યો હતો. જસ્ટિસ દિનેશ મહેશ્વરી અને જસ્ટિસ બેલા એમ ત્રિવેદીએ બંધારણના 103માં સુધારા અધિનિયમ 2019ની માન્યતાને સમર્થન આપ્યુ હતુ. જે ગરીબ 'સવર્ણોને' 10% અનામત આપે છે. જસ્ટિસ દિનેશ મહેશ્વરીએ કહ્યુ કે આર્થિક આધારો પર અનામત આપવાથી બંધારણના મૂળભૂત માળખાનુ ઉલ્લંઘન થતુ નથી. જસ્ટિસ બેલા એમ ત્રિવેદી કહે છે કે તેમનો નિર્ણય જસ્ટિસ મહેશ્વરી સાથે સંમત છે અને કહે છે કે જનરલ કેટેગરીમાં EWS ક્વોટા માન્ય અને બંધારણીય છે.
સુપ્રીમ કોર્ટે કહ્યુ કે ઈડબ્લ્યુએસ ક્વૉટા સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગો માટેના 50% ક્વૉટાને અવરોધતો નથી. સામાન્ય વર્ગના ગરીબોને ઈડબ્લ્યુએસ ક્વૉટાનો લાભ મળશે. ઈડબ્લ્યુએસ ક્વૉટા ધર્મ, જાતિ, વર્ગ, લિંગ અથવા જન્મસ્થળના આધારે કાયદા સમક્ષ સમાનતાના અધિકાર અને જાહેર રોજગારમાં સમાન તકનુ ઉલ્લંઘન કરતુ નથી. જસ્ટિસ એસ રવીન્દ્ર ભટ અસહમત હતા અને તેને ગેરબંધારણીય ગણાવ્યુ હતુ. જસ્ટિસ રવિન્દ્ર ભટ્ટે કહ્યુ કે 103મો સુધારો ભેદભાવપૂર્ણ છે. 2019 ના બંધારણમાં 103મો સુધારો બંધારણીય અને માન્ય જાહેર કરવામાં આવ્યો છે.
ન્યાયમૂર્તિ દિનેશ મહેશ્વરીએ EWS અનામતને બંધારણીય ગણાવ્યુ અને કહ્યુ કે તે બંધારણની કોઈપણ જોગવાઈનુ ઉલ્લંઘન કરતુ નથી. આ અનામતથી બંધારણને કોઈ નુકસાન થતુ નથી. આ સમાનતા સંહિતાનુ ઉલ્લંઘન નથી. જસ્ટિસ પારડીવાલાએ કહ્યુ કે બહુમતીના મંતવ્યો સાથે સંમત થઈને અને સુધારાની માન્યતાને સમર્થન આપીને હું કહુ છુ કે અનામત એ આર્થિક ન્યાય મેળવવાનુ એક માધ્યમ છે અને તેના હિતોને નિરંતર કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં. આ કારણને નાબૂદ કરવાની આ કવાયત આઝાદી પછી શરૂ થઈ હતી અને હજુ પણ ચાલુ છે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?








Click it and Unblock the Notifications
