Supreme court news : સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, હવે સુપ્રીમ કોર્ટના તમામ જજોએ સંપતિ જાહેર કરવી પડશે
Supreme court news : સુપ્રીમ કોર્ટના તમામ ન્યાયાધીશોએ પોતાની સંપત્તિ જાહેર કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણય ન્યાયતંત્રની પારદર્શકતા અને જનતામાં વિશ્વાસ જાળવી રાખવા માટે લેવામાં આવ્યો છે.
મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાની અધ્યક્ષતામાં 1 એપ્રિલના રોજ સુપ્રીમ કોર્ટના 33 ન્યાયાધીશો સાથે બેઠક યોજાઈ હતી, જેમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો.

આ નિર્ણય અનુસાર, તમામ ન્યાયાધીશોએ ચાર્જ સંભાળતાની સાથે જ તેમની મિલકતની વિગતો જાહેર કરવી પડશે. જો કે આ પહેલીવાર નથી.
આ પહેલો પ્રસંગ નથી જ્યારે ન્યાયાધીશોએ પોતાની મિલકત જાહેર કરવાનું નક્કી કર્યું હોય. 26 ઓગસ્ટ 2009ના રોજ પણ સુપ્રીમ કોર્ટના તત્કાલિન ન્યાયાધીશોએ પોતાની મિલકતની વિગતો જાહેર કરી હતી.
સુપ્રીમ કોર્ટ અનુસાર, મિલકત જાહેર કરવાની પદ્ધતિ અને સમયરેખા હજી નક્કી કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં જ આ સંબંધિત વિગતો જાહેર કરવામાં આવશે.
હાલમાં ન્યાયાધીશોએ ચીફ જસ્ટિસને તેમની મિલકતની માહિતી આપવી ફરજિયાત છે, પરંતુ તેને જાહેર કરવી ફરજિયાત નહોતી. હવે આ પગલું ભવિષ્યમાં ન્યાયતંત્રની પારદર્શકતા વધારશે.
આ નિર્ણય એ સમયે લેવામાં આવ્યો છે જ્યારે દિલ્લી હાઈકોર્ટના જજ યશવંત વર્માની તપાસ ચાલી રહી છે. તાજેતરમાં જ તેમના ઘરેથી અડધી બળી ગયેલી નોટો મળતા તે અંગે તપાસ શરુ થઈ હતી. સુપ્રીમ કોર્ટે આ મામલાનું સુઓ મોટો સંજ્ઞાન લેતા કોલેજિયમ તપાસના આદેશ આપ્યા છે.
આ નિર્ણયથી ન્યાયતંત્ર પ્રત્યે જનતાનો વિશ્વાસ વધશે અને ભવિષ્યમાં વધુ પારદર્શકતા લાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.












Click it and Unblock the Notifications
