બકરી ઈદ પર કોરોના પ્રતિબંધમાં ઢીલાશના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે કેરળ સરકારને ઝાટકી, આપ્યા આ નિર્દેશ
કેરળમાં જે રીતે કોરોના કેસ સતત વધી રહ્યા છે તેમછતાં બકરી ઈદ માટે ત્રણ દિવસ સુધી કોરોના પ્રતિબંધોમાં ઢીલાશ આપવાના કેરળ સરકારના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે આકરી ટિપ્પણી કરી છે.
નવી દિલ્લીઃ કેરળમાં જે રીતે કોરોના કેસ સતત વધી રહ્યા છે તેમછતાં બકરી ઈદ માટે ત્રણ દિવસ સુધી કોરોના પ્રતિબંધોમાં ઢીલાશ આપવાના કેરળ સરકારના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે આકરી ટિપ્પણી કરી છે. કેરળ સરકારના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવીને કહ્યુ કે ડી કેટેગરીના વિસ્તારોમાં એક દિવસની છૂટનો નિર્ણય બિલકુલ યોગ્ય નહોતો. આવી પરિસ્થિતિમાં અમે કેરળને નિર્દેશ આપીએ છીએ કે તે બંધારણના અનુચ્છેદ 21 અને 141નુ પાલન કરે અને ઉત્તર પ્રદેશના કેસમાં અમે જે નિર્દેશ આપ્યા છે તેનુ પાલન કરે. ભારતના નાગરિકોના મૌલિક અધિકારોમાં કોઈ પણ પ્રકારનુ પ્રેશર ગ્રુપ પછી ભલે તે ધાર્મિક હોય કે કોઈ પણ પ્રકારનુ તે દબાણ કરી શકે નહિ.

જસ્ટીસ નરીમનની આગેવાનીવાળી બેન્ચે આ કેસની સુનાવણી કરીને કહ્યુ કે કોઈ પણ ધાર્મિક કે અન્ય સંસ્થા દ્વારા દેશના નાગરિકોના મૌલિક અધિકારોમાં હસ્તક્ષેપનો કોઈ અધિકાર નથી. તમને જણાવી દઈએ કે કેરળ સરકારે 19 જુલાઈએ કોરોના પ્રતિબંધોમાં ઢીલ આપવાની વાત કહી હતી માટે સુપ્રીમ કોર્ટે આ કેસમાં દાખલ અરજીનો સ્વીકાર કર્યો કે 19 જુલાઈએ આપવામાં આવેલી છૂટને રદ કરવામાં આવે. પરંતુ કોર્ટે ચેતવણી આપી છે કે જો સરકારની આ નીતિના કારણે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારનુ સંક્રમણ ફેલાયુ તો કોઈ પણ આની માહિતી સુપ્રીમ કોર્ટને આપી શકે છે.
સુપ્રીમ કોર્ટની બેન્ચે કહર્યુ કે જો કોઈ પણ સરકારની નીતિના કારણે કોરોનાથી સંક્રમિત થાય અને તેની માહિતી સુપ્રીમ કોર્ટને આપવામાં આવે તો કોર્ટ આ મામલે યોગ્ય કાર્યવાહી કરશે. કોર્ટે કહ્યુ કે જ્યાં ડી શ્રેણીનુ સંક્રમણ છે એટલે કે અહીં 15 ટકાથી વધુ સંક્રમણ દર છે ત્યાં એક દિવસની છૂટ આપવામાં આવી, આ ઘણી ચોંકાવનારી બાબત છે. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટની બેન્ચમાં જસ્ટીસ આરએફ નરીમન અને બીઆર ગવઈ શામેલ હતા જેમણે સોમવારે કેરળ સરકારને આ મામલે પોતાનો જવાબ દાખલ કરવા કહ્યુ હતુ. કોર્ટે 20 જુલાઈ સુધી પોતાનો જવાબ દાખલ કરવા માટે કહ્યુ હતુ.
-
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11










Click it and Unblock the Notifications
