For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્ર વસૂલી કેસમાં CBI તપાસ થશે કે નહિ? અનિલ દેશમુખની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી

સુપ્રીમ કોર્ટમાં આજે એટલે કે ગુરુવારે(8 એપ્રિલ) મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ તરફથી દાખલ અરજી પર સુનાવણી કરશે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ સુપ્રીમ કોર્ટમાં આજે એટલે કે ગુરુવારે(8 એપ્રિલ) મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ તરફથી દાખલ અરજી પર સુનાવણી કરશે. મહારાષ્ટ્ર સરકાર અને રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખે બૉમ્બે હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. જેના પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી છે. બૉમ્બે હાઈકોર્ટે પૂર્વ મુંબઈ પોલિસ કમિશ્નર પરમબીર સિંહ દ્વારા અનિલ દેશમુખ પર લગાવવામાં આવેલા ભ્રષ્ટાચાર અને વસૂલીના આરોપોની કેન્દ્રીય તપાસ બ્યૂરો(સીબીઆઈ) પાસે તપાસ કરાવવાના આદેશ આપ્યા છે. હાઈકોર્ટના આ ચુકાદાને મહારાષ્ટ્ર અને રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. સુપ્રીમ કોર્ટમાં આજે ન્યાયાધીશ સંજય કિશન કૌલ અને હેમંત ગુપ્તાની એક પીઠ આ અરજી પર સુનાવણી કરશે.

parambir

બૉમ્બે હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યુ હતુ કે અનિલ દેશમુખ સામે પરમબીર સિંહે જે આરોપ લગાવ્યા છે તેણે મહારાષ્ટ્ર પોલિસમાં નાગરિકોના વિશ્વાસ ઘટાડવાની કોશિશ કરી છે માટે આ મામલે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. બૉમ્બે હાઈકોર્ટમાં મામલાની સુનાવણી મુખ્ય ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ન્યાયમૂર્તિ જી એસ કુલકર્ણીની ખંડપીઠે કરી હતી.
હાઈકોર્ટે પોતાના આદેશમાં સીબીઆઈને કહ્યુ છે કે મુંબઈ પોલિસ કમિશ્નર પરમબીર સિંહ દ્વારા લગાવામાં આવેલા આરોપીની તપાસનો પ્રારંભિક રિપોર્ટ 15 દિવસની અંદર પૂરો કરો. આ નિર્ણયના થોડા કલાક બાદ અનિલ દેશમુખે ગૃહમંત્રીના પદેથી રાજીનામુ આપી દીધુ હતુ.

Covid 19: પીએમ મોદીની મુખ્યમંત્રીઓ સાથે આજે મીટિંગCovid 19: પીએમ મોદીની મુખ્યમંત્રીઓ સાથે આજે મીટિંગ

English summary
Supreme Court to hear the plea on Maharashtra govt Anil Deshmukh over HC order for CBI probe today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X