Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Supreme Court on Waqf : વકફ કાયદા પર સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, આ 5 જોગવાઈઓ પર રોક લગાવી

Supreme Court on Waqf : દેશભરમાં વકફ કાયદાને લઈને ચાલી રહેલી ચર્ચાઓ અને વિવાદો વચ્ચે સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આખા કાયદા પર રોક લગાવવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે.

જો કે સાથે જ કાયદાની કેટલીક મુખ્ય જોગવાઈઓ પર કામચલાઉ પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણયથી વકફ કાયદા સંબંધિત કાનૂની લડાઈમાં એક નવો વળાંક આવ્યો છે.

Supreme Court on Waqf

ચીફ જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ એ.જી. મસીહની બેન્ચે જણાવ્યું કે સંસદ દ્વારા પસાર કરાયેલા કાયદાને સામાન્ય રીતે માન્ય ગણવામાં આવે છે અને તેના પર સંપૂર્ણ પ્રતિબંધ ખૂબ જ દુર્લભ સંજોગોમાં મૂકી શકાય છે. કોર્ટે જણાવ્યું કે અમુક જોગવાઈઓ પર તત્કાળ સુરક્ષા જરૂરી છે જેથી મનમાની અને સત્તાનો સંઘર્ષ ન થાય.

સુપ્રીમ કોર્ટના આદેશના મહત્વના મુદ્દા
કાયદા પર રોક નહીં : સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે વકફ કાયદો સંપૂર્ણપણે રદ કરવામાં આવશે નહીં. સંસદ દ્વારા બનાવેલા કાયદાને સામાન્ય રીતે માન્ય ગણવામાં આવે છે, અને તેથી તેના પર સંપૂર્ણ રોક લગાવવી યોગ્ય નથી.

  • વકફ બનાવવા માટેની 5 વર્ષની શરત રદ : વકફ બનાવવા માટે એક વ્યક્તિએ ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી ઇસ્લામનું પાલન કર્યું હોય તેવી જોગવાઈ પર કોર્ટે રોક લગાવી છે. કોર્ટે કહ્યું કે આ નિયમ માટે રાજ્ય સ્તરે કોઈ પ્રક્રિયા નક્કી કરવામાં આવી નથી, જેનાથી મનમાની થવાની સંભાવના છે.
  • બોર્ડમાં બિન-મુસ્લિમ સભ્યોની સંખ્યા મર્યાદિત : સુપ્રીમ કોર્ટે વકફ બોર્ડમાં બિન-મુસ્લિમ સભ્યોની સંખ્યા નક્કી કરી છે. સેન્ટ્રલ વકફ કાઉન્સિલમાં ચારથી વધુ બિન-મુસ્લિમ સભ્યો નહીં હોય, અને આ જ મર્યાદા રાજ્યોમાં પણ લાગુ પડશે. જો કે, કોર્ટે કહ્યું કે રાજ્ય વકફ બોર્ડના CEO બિન-મુસ્લિમ પણ હોઈ શકે છે, પરંતુ શક્ય હોય ત્યાં સુધી આ પદ પર મુસ્લિમને જ નિયુક્ત કરવા જોઈએ.
  • વિવાદાસ્પદ વકફ જમીનો પર રક્ષણ : હવે સરકાર વિવાદિત વકફ જમીનોને સીધી રીતે ડી-રિકગ્નાઇઝ કરી શકશે નહીં. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે જ્યાં સુધી જમીનની માલિકી નક્કી ન થાય, ત્યાં સુધી આવી જમીનો પર કોઈ ત્રીજા પક્ષનો અધિકાર સ્થાપિત કરી શકાશે નહીં. કોર્ટ કે ટ્રિબ્યુનલનો નિર્ણય ન આવે ત્યાં સુધી વકફ બોર્ડ પણ આવી જમીનો કોઈને વેચી શકશે નહીં.
  • CEOની નિમણૂક પર માર્ગદર્શન : ભલે બિન-મુસ્લિમ CEO બની શકે, સુપ્રીમ કોર્ટે માર્ગદર્શન આપ્યું છે કે જ્યાં સુધી શક્ય હોય, મુસ્લિમ વ્યક્તિને જ આ પદ પર નિમણૂક કરવી જોઈએ. આ ઉપરાંત કોર્ટે કેન્દ્ર સરકારને સલાહ આપી છે કે સેન્ટ્રલ વકફ કાઉન્સિલમાં ત્રણથી વધુ બિન-મુસ્લિમ સભ્યો ન હોય અને તેના પદેન અધ્યક્ષ મુસ્લિમ સમુદાયના જ હોય.

આ નિર્ણય કાયદાની માન્યતા અને નાગરિકોના અધિકારો વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરે છે, જેનાથી ભવિષ્યમાં આ કાયદાનો અમલ વધુ સ્પષ્ટ અને ન્યાયી બને.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X