Surgical Strike: હવે પહેલા જેવી નથી રહી ભારતીય સેના!
ભારતીય સેનાએ પાકિસ્તાનની સીમામાં કરેલી સર્જિકલ સ્ટ્રાઇકને હાલ એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છે. ભારતીય સેનાનું મનોબળ પણ આ એક વર્ષમાં સારું થયું છે. ત્યારે જાણો વધુ અહીં.
પાકિસ્તાન પર સર્જિકલ સ્ટાઇક કર્યાને એક વર્ષ થઇ ગયું. 28મી સપ્ટેમ્બર 2016ના રોજ પાકિસ્તાન પર સર્જિકલ સ્ટાઇક કરવામાં આવી હતી. જે પછી હાલ પણ જમ્મુ કાશ્મીરમાં સેનાએ મોટું સર્ચ ઓપરેશન ચલાવી એક પછી એક આતંકીઓનો ખાતમો બોલાવી રહી છે. તેટલું જ નહીં હાલ પણ મ્યાનમારમાં આ રીતે જ તેમણે આતંકીઓના અતિક્રમણને નિસ્તેનાબુદ કર્યું હતું. ભારત દ્વારા સર્જિકલ સ્ટાઇક કર્યા થોડા સમય સુધી આતંકીઓ ભારતીય સીમાની આસપાસ પણ ફરકવાનું છોડી દઇ ભાગી ચૂક્યા હતા. જે બતાાવે છે કે હવે ભારતીય સેના પહેલા જેવી નથી રહી. તેને આતંકીઓને સીધા કરતા આવડે છે. અને ભારતીય સેનાએ આ સાથે જ તે વાત પણ સ્પષ્ટ કરી છે કે અમે શાંત છીએ તેનો મતલબ તે બિલકુલ પણ નથી થતો કે અમે કંઇ પણ કરવા અક્ષમ છીએ. જે દિવસને ભારતીય સેના કંઇક કરવાનું વિચારશે તે દિવસે તમામ આતંકીઓના વ્યારા ન્યારા થઇ જશે.
ભારતીય સેના
જે રીતે ઉરી કેમ્પ પર આંતકીઓએ હુમલો કર્યો હતો તે જોતા ભારતીય સેના માટે તે બતાવવું ખુબ જ જરૂરી થઇ ગયું હતું કે તે પણ ચૂપચાપ બધુ સહન નહીં કરી લે. ઉલ્લેખનીય છે કે ઉરી આતંકી હુમલામાં 19 સૈનિકો શહીદ થયા હતા. આ હુમલા પછી મોટો સવાલ તે થયો હતો કે શું ભારતીય સેના આ હુમલાનો કોઇ જવાબ આપશે? એટલું જ નહીં પઠાણકોટ હુમલા સુધી પણ ભારતીય સેનાએ શાંતિનો રસ્તો અપનાવ્યો. પણ ઉરી હુમલા પછી સમીકરણો બદલાઇ ગયા આ માટે જ ભારતીય સેનાએ પાકિસ્તાનની અંદર ચાલી રહેલા લશ્કર કેમ્પોને ઉડાવાનો નિર્ણય લીધો.
સેનાનું અદ્ધભૂત પ્રદર્શન
ભારતીય સેનાએ જે રીતે પાકિસ્તાનની અંદર જઇને સર્જિકલ સ્ટાઇકને અંજામ આપ્યો તેનાથી પાક સીમાની અંદર ચાલી રહેલા આંતકીઓના લોન્ચ પેડની પોલ ખુલી ગઇ. અને તેને મોટું નુક્શાન પણ થયું. સાથે જ પાકિસ્તાનને તે પણ સમજાઇ ગયું કે ભારતીય સેના જે દિવસે બોલશે તે દિવસે પાકિસ્તાનની બોલતી બંધ થઇ જશે. એટલું જ નહીં આ પછી પણ જેટલી વાર પાકિસ્તાને ફાયરિંગ કરી ભારતીય સેનાએ તેનો બરાબર જવાબ આપ્યો છે.
પાક સેનાની કમર તોડી
નોંધનીય છે કે પાકિસ્તાન પર જ્યારે ભારતે સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી ત્યારે પહેલા તો તેણે એ વાત સ્વીકારી જ નહીં કે તેની સીમા પર આવું કંઇક થયું છે. તે પછી તેને વિશ્વના દેશો સામે આ અંગે વિરોધ દર્શાવાનો પ્રયાસ કર્યો પણ તેમાં પણ અન્ય દેશો કંઇ જ ના બોલતા પાકની બોલતી બંધ થઇ ગઇ. નોંધનીય છે કે સર્ઝિકલ સ્ટ્રાઇક પછી આજે પણ ભારતીય સેના આવા જ ઉગ્ર સ્વરૂપમાં દેખાઇ રહી છે. અને આતંકીઓનો ખાતમો કરી રહી છે.