12 ફેબ્રુઆરીના રોજ શરૂ થશે 'ચા પર ચર્ચા વિથ NaMo'
નવી દિલ્હી, 4 ફેબ્રુઆરી: હવે આપ ચાની ચૂસ્કીની સાથે ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની સાથે રાજનીતિ પર ચર્ચા કરી શકશો. ભાજપ નેતા સુષમા સ્વરાજે મંગળવારે જાહેરાતની સાથે 'ચા પર ચર્ચા વિથ નમો' લોન્ચ કર્યું. આ અભિયાન 12 ફેબ્રુઆરીથી શરૂ થશે.
સુષમા સ્વરાજે આ અવસરે જણાવ્યું કે આગામી ચૂંટણીના સંદર્ભમાં આ કાર્યક્રમ છે. હિન્દુસ્તાનમાં લોકોની આદત હોય છે કે ચાનો કપ હાથમાં આવતા જ રાજનૈતિક ચર્ચા શરૂ થઇ જાય છે. એવો પ્રયોગ દુનિયામાં આ પહેલા ક્યારેય નથી થયો.

સુષમા સ્વરાજે જણાવ્યું કે 'આ પહેલા અડવાણીજીની રથયાત્રા સંપર્કનું સાધન હતું. જ્યારે પ્રચારની નવી ટેકનીક આવી છે તો આનો ઉપયોગ કરી રહ્યા છીએ. આ ટેકનીકમાં 5 માધ્યમોને મેળવવામાં આવી રહ્યા છે. ઇન્ટરનેટ, મોબાઇલ ફોન, સોશિયલ મીડિયાનો આ અભિયાનમાં ઉપયોગ કરવામાં આવશે. શેર, આસ્ક અને સજેસ્ટ આ અભિયાનના ત્રણ ખંડ રહેશે.'












Click it and Unblock the Notifications
