યૌનશોષણ મામલે પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વામી ચિન્મયાનંદની ધરપકડ
જાતીય શોષણના આરોપોથી ઘેરાયેલા પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અને ભાજપના નેતા સ્વામી ચિન્મયાનંદની આજે પોલીસે ધરપકડ કરી છે.
જાતીય શોષણના આરોપોથી ઘેરાયેલા પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અને ભાજપના નેતા સ્વામી ચિન્મયાનંદની આજે પોલીસે ધરપકડ કરી છે. અગાઉ તેમની તબિયત લથડતાં તેને મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તબિયત લથડતાં તેને લખનૌની કેજીએમયુ રિફર કરવામાં આવ્યા હતા. તે જ સમયે, માહિતી પહોંચતાની સાથે જ એસઆઈટીની ટીમ આશ્રમમાં પહોંચી ગઈ હતી અને કેજીએમયુમાં દસ્તાવેજો લેવાની માંગ કરી હતી, પરંતુ તેઓએ કાગળો બતાવી ન શકતાં એસઆઈટીએ તેમને બહાર જતા અટકાવ્યા હતા.
બુધવારે સાંજે પાંચ વાગ્યે ચિન્મયાનંદને મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટર અંબુજ યાદવની આગેવાની હેઠળ ત્રણ ડોકટરોની પેનલ તેમની સારવાર કરી રહી હતી. મોડી રાત્રે થોડો સુધારો થયો હતો પરંતુ ગુરુવારે સવારે તેનું સુગર લેવલ અને બ્લડ પ્રેશર વધી ગયું હતું. તેમનું અલ્ટ્રાસાઉન્ડ કરાવવામાં આવ્યું હતું અને લોહીના નમૂના પણ તપાસ માટે લેવામાં આવ્યા હતા. સ્થિતિમાં કોઇ સુધારો નહીં થવાને કારણે તેમને લખનઉના કેજીએમયુ રિફર કરાયા હતા.
ધરપકડ પર એસઆઈટી ઘ્વારા કંઈક આવું કહેવામાં આવ્યું
18 સપ્ટેમ્બરના રોજ, એસઆઈટીએ સ્પષ્ટ કર્યું હતું કે તેમની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ કેસમાં ધરપકડ કરી શકાતી નથી અને તેમની પાસે પુરાવા નથી. જણાવી દઈએ કે શુક્રવારે સવારે એસઆઈટીએ આ મામલામાં સ્વામી ચિન્મયાનંદની તેમના આશ્રમમાંથી ધરપકડ કરી છે. અગાઉ એસઆઈટીએ કાગળો કેજીએમયુમાં લઈ જવા માટે કહ્યું હતું, પરંતુ પેપરો બતાવી ન શકતાં એસઆઈટીએ તેમને બહાર જતા અટકાવ્યા હતા.
આ પણ વાંચો: ચિદમ્બરમને સીબીઆઈ કોર્ટમાંથી ઝટકો, ન્યાયિક કસ્ટડી 3 ઓક્ટોબર સુધી લંબાવાઈ