For Quick Alerts
For Daily Alerts
સ્વામી પ્રભુપાદની જન્મજયંતિ : વડાપ્રધાન મોદી 125 રૂપિયાનો સિક્કો બહાર પાડશે
PM મોદી ઈસ્કોનના સ્થાપક શ્રીલ ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદની 125મી જન્મજયંતિ પર 125 રૂપિયાનો ખાસ સ્મારક સિક્કો બહાર પાડશે. આ સિવાય વડાપ્રધાને સવારે 4.30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા એક સભાને પણ સંબોધિત કરી હતી.
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈસ્કોનના સ્થાપક શ્રીલ ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદની 125મી જન્મજયંતિ પર 125 રૂપિયાનો ખાસ સ્મારક સિક્કો બહાર પાડશે.
આ સિવાય વડાપ્રધાને સવારે 4.30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા એક સભાને પણ સંબોધિત કરી હતી. વડાપ્રધાન કાર્યાલય (PMO)એ આ અંગે માહિતી આપી હતી.
ઉલ્લેખનીય છે કે, સ્વામી પ્રભુપાદે આંતરરાષ્ટ્રીય સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ (ઇસ્કોન)ની સ્થાપના કરી હતી. જેને સામાન્ય રીતે 'હરે કૃષ્ણ ચળવળ' તરીકે ઓળખવામાં આવે છે.
ઇસ્કોને શ્રીમદ ભાગવત ગીતા અને અન્ય વૈદિક સાહિત્યનો 89 ભાષાઓમાં અનુવાદ કર્યો છે. જે વૈદિક સાહિત્યને વિશ્વભરમાં ફેલાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
પ્રભુપાદે 100 થી વધુ મંદિરોની સ્થાપના કરી હતી. આ સાથે વિશ્વને ભક્તિ યોગનો માર્ગ દર્શાવતા ઘણા પુસ્તકો પણ લખ્યા હતા.
Comments
English summary
Prime Minister Narendra Modi will issue a special commemorative coin of Rs 125 on the 125th birth anniversary of ISKCON founder Srila Bhaktivedanta Swami Prabhupada.
Story first published: Wednesday, September 1, 2021, 11:22 [IST]