For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્વાઇન ફ્લૂથી અત્યાર સુધી 600ના મોત, જાણો લક્ષણો અને ઉપાય..

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી: ભારતીયો અને ભારત સરકાર માટે માથાનો દુ:ખાવો બનેલ સ્વાઇન ફ્લૂ ઝડપથી ફેલાઇ રહ્યો છે, આ ફ્લૂનો લોકોમાં એવો તે ભય વર્તાઇ રહ્યો છે કે માત્ર હળવી ઉધરસ પણ તેમને આવે તો તેઓ તેને સ્વાઇન ફ્લૂ સમજી બેસે છે. આ બીમારીથી દેશમાં અત્યાર સુધી લગભગ 600 જેટલા મોત થઇ ચૂક્યા છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે દિલ્હી સ્વાઇન ફ્લૂની વેક્સીન ટેમી ફ્લૂની ખોટથી ઝઝૂમી રહી છે.

ગુજરાતમાં સ્વાઇન ફ્લૂનો કહેર
ગુજરાતમાં સ્વાઇન ફ્લૂનો કહેર દિવસેને દિવસે વકરતો જઇ રહ્યો છે, જેની સામે રાજ્યનું આરોગ્ય વિભાગ પણ પાંગળુ સાબિત થઇ રહ્યું છે. ગુજરાતમાં અત્યાર સુધી 1935 કેસ પોઝીટીવ નોંધાયા છે. જ્યારે 160 લોકોના મોત થયા છે. સ્વાઇન ફ્લૂની સૌથી વધારે અસર અમદાવાદમાં જોવા મળી રહી છે.

swine flu
અત્રે આપને જણાવી દઇએ કે કોઇપણ સામાન્ય શર્દી-ખાસીનો અર્થ સ્વાઇન ફ્લૂ નથી થતો. એટલા માટે અમે આપને જણાવી રહ્યા છીએ આ ફ્લૂના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો અંગે. જેથી આપ સજાગ રહો અને કહેવાય છે ને કે જાણકારી જ બચાવ છે.

જાણકારી જ બચાવ છે
નોંધનીય છે કે સ્વાઇન ફ્લૂ એચ1એન1 વાયરસના કારણે થનાર એક સંક્રમણજન્ય રોગ છે જે કોઇ પણ ઉંમરના વ્યક્તિને થઇ શકે છે. આ વાયરસ દૂષિત વાતાવરણ, દૂષિત વાયુ અને શ્વાસ લેવાના માધ્યમથી સંક્રમિત થાય છે.

સ્વાઇન ફ્લૂના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો અંગેની જાણકારી મેળવવા માટે Next પર ક્લિક કરો...

English summary
The death toll from swine flu in 2015 alone has soared to 585 with 100 more casualties reported across the country in since February 12, prompting the Centre to order additional stocks of medicines and diagnostic kits.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X