T Raja Singh : ફરી અન્ય એક બીજેપી નેતાનો બફાટ, ભડકાઉ ભાષણનો આરોપ
T Raja Singh : ભડકાઉ ભાષણો કરીને લોકોને હિંસા કરવા ઉશ્કેરવા માટે બીજેપી નેતાઓ બદનામ છે. હવે આ ક્રમમાં અન્ય એક નેતાનું નામ જોડાયુ છે.
બીજેપી ધારાસભ્ય ટી રાજા સિંહે ફરીે વિવાદાસ્પદ ભડરાઉ નિવેદન આપ્યુછે. તેણે 2012 માં ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનના નેતા અસદુદ્દીન ઓવૈસીના નાના ભાઈ અકબરુદ્દીન ઓવૈસી દ્વારા આપવામાં આવેલા 15 મિનિટના નિવેદનનો જવાબ આપતા બફાટ કર્યો.

હૈદરાબાદની ગોશામહલ બેઠકના ધારાસભ્ય ટી રાજા સિંહે કહ્યું કે, જેઓ 15 મિનિટ વાત કરે છે, સાંભળો જો અમે નાગા સાધુઓને આગળ રાખીશું તો તમારો આખો ઇતિહાસ સમાપ્ત થઈ જશે.
રાજા સિંહે પોતાના ભાષણમાં કહ્યું કે, તમે લોકો કહો છો કે અમને 15 મિનિટ આપો, પોલીસને હટાવો, અમે 100 કરોડ હિન્દુઓને મારી નાખીશું. આવા લોકોને જવાબ આપતાં હું કહેવા માંગુ છું કે આ સમયે ઉત્તર પ્રદેશમાં મહાકુંભ ચાલી રહ્યો છે. કરોડો હિન્દુઓ પવિત્ર નદીમાં સ્નાન કરી રહ્યા છે. સાધુઓ કુંભ મેળામાં ભાગ લઈ રહ્યા છે. નાગા સાધુઓનો પણ સમાવેશ થાય છે.
નાગા સાધુઓનો ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ સનાતન ધર્મ પર સંકટ આવ્યું છે, ત્યારે તેમણે તલવાર, ભાલો અને ત્રિશૂળ ઉપાડીને ધર્મનું રક્ષણ કર્યું છે.
તેણે આગળ કહ્યું કે, જો નાગા સાધુઓને 15 મિનિટનો સમય આપવામાં આવે તો ઉત્તર પ્રદેશમાં બધું સાફ થઈ જશે. અને જો આ સાધુઓને હૈદરાબાદ મોકલવામાં આવે તો જે લોકોએ ત્યાં 15 મિનિટ વાત કરી હતી તેઓ પાકિસ્તાન ભાગી જશે. હિન્દુઓ સાથે ન ટકરાવ. જ્યારે પણ હિન્દુ જાગ્યા છે ત્યારે તેણે ઇતિહાસ રચ્યો છે.
ટી રાજા સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેના ઉશ્કેરણીજનક નિવેદનનો વીડિયો શેર કર્યો છે, જેના કારણે આ નિવેદન અંગે વધુ ચર્ચા થઈ છે.












Click it and Unblock the Notifications
