ઘર વાપસી પર તેજ પ્રતાપ, શાંતિની શોધમાં છું, જીવી લેવા દો
લાલુ પ્રસાદ યાદવના ઘરનો વિવાદ હવે બધાની વચ્ચે રસ્તા પર આવી ચુક્યો છે. આ વિવાદ પછી તેજ પ્રતાપ લાપતા થઇ ચુક્યા છે.
લાલુ પ્રસાદ યાદવના ઘરનો વિવાદ હવે બધાની વચ્ચે રસ્તા પર આવી ચુક્યો છે. આ વિવાદ પછી તેજ પ્રતાપ લાપતા થઇ ચુક્યા છે. થોડા દિવસ તેઓ વૃંદાવનમાં જોવા મળ્યા. પરિવાર અને પત્નીથી નારાજ તેજ પ્રતાપ મથુરા અને વૃંદાવનમાં છે. જયારે પત્રકારોએ તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓ નારાજ થઇ ગયા. તેમને ફક્ત એટલું જ કહ્યું કે તેઓ શાંતિની શોધમાં છે.
આ પણ વાંચો: રાધાની શોધમાં છે તેજ પ્રતાપ, ઐશ્વર્યાથી દૂર ભાગી રહ્યા છે

શાંતિની શોધમાં છું
તેજ પ્રતાપે તેમના પરિવારને પણ વિનંતી કરી કે હાલમાં તેમના એકલા છોડી દેવામાં આવે. તેજ પ્રતાપ હાલમાં ઘરે આવવાના મૂડમાં નથી. તેમને પોતાના પરિવાર અને પાર્ટીથી અંતર બનાવી લીધું છે. તેઓ એકલા વૃંદાવનની ગલીઓમાં ફરી રહ્યા છે. બિહારના પૂર્વ સ્વસ્થમંત્રી તેજ પ્રતાપ વૃંદાવનમાં એકલા સમય પસાર કરી રહ્યા છે. જયારે પત્રકારોએ તેમને પૂછ્યું ત્યારે તેમને કહ્યું કે મને મારુ જીવન જીવી લેવા દો, હું અહીં શાંતિની શોધમાં છું.

પત્ની ઐશ્વર્યા સાથે વિવાદ
આપને જણાવી દઈએ કે પત્ની ઐશ્વર્યા સાથે વિવાદ પછી તેજ પ્રતાપે કોર્ટમાં તલાક માટે અરજી પણ આપી છે. તેઓ પોતાની પત્નીથી અલગ થવા માંગે છે અને તેમને પોતાની પત્ની પર ગંભીર આરોપો પણ લગાવ્યા છે. તેમના પરિવારમાં હાલમાં યજ્ઞ અને હવન ચાલી રહ્યા છે.

ઐશ્વર્યામાં મને રાધા નહીં મળી: તેજ પ્રતાપ
મીડિયા સૂત્રો અનુસાર તેજ પ્રતાપ રાધાની શોધમાં છે. ખરેખર પોતાને નંદલાલ પ્રિય ગણાવતા તેજ પ્રતાપને રાધાની શોધ હતી. દિલ્હીમાં ઉચ્ચ શિક્ષા મેળવનાર ઐશ્વર્યામાં તેને રાધા નહીં મળી.

તલાકની અરજી પર 29 નવેમ્બરે સુનાવણી
તેજ પ્રતાપે જણાવ્યું કે ઐશ્વર્યા સાથે તેના લગ્ન રાજનૈતિક કારણોસર કરવામાં આવ્યા હતા. પરંતુ હવે તેમનો શ્વાસ રૂંધાવા લાગ્યો છે જેને કારણે તેજ પ્રતાપે ઐશ્વર્યાથી અલગ થવા માટે પટના હાઇકોર્ટમાં તલાક માટે અરજી દાખલ કરી છે, જેના પર 29 નવેમ્બરે સુનાવણી થશે. હાલમાં કેમેરાની નજર અને પરિવાર તેજ પ્રતાપને શોધવામાં લાગ્યા છે. લોકલ મીડિયા રિપોર્ટ અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે તેજ પ્રતાપ 29 નવેમ્બર પહેલા પટના નહીં આવે.
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી








Click it and Unblock the Notifications
