તેલંગાણા દેશનું 29મુ રાજ્ય બન્યું, ચંદ્રશેખર રાવે CM તરીકે શપથ લીધા
નવી દિલ્હી, 2 જૂન : તેલંગાણા આજથી દેશનું 29મું રાજ્ય બની ગયું છે. 2 જૂનના રોજ 00.01 વાગ્યાથી તેલંગાણાને કાયદેસર રીતે અલગ રાજ્યની માન્યતા મળી ગઇ છે. આ માન્યતા મળવાની ખુશીની ઉજવણી રાત ભર તેલંગાણામાં મનાવાઈ હતી. હૈદરાબાદ સહિત તેલંગાણાના અલગ અલગ શહેરોમાં વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે જ આજે સવારે તેલંગાણા રાષ્ટ્ર સમિતી(ટીઆરએસ)ના ચંદ્રશેખર રાવે નવા રાજ્ય તેલંગાણાના પ્રથમ મુખ્યમંત્રી (સીએમ) તરીકે શપથ લીધા છે.
રાત્રે જ્યારે તેલંગાણાને અલગ રાજ્યની માન્યતા મળી ત્યારથી આખી રાત હૈદરાબાદ સહિતના શહેરોમાં હજારોની સંખ્યામાં લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને એકબીજાને અભિનંદન આપી ઉજવણી કરી રહ્યા હતા. તેલંગાણામાં પહેલી સરકાર બનાવી પહેલી પાર્ટી તેલંગાણા રાષ્ટ્ર સમિતીના કાર્યકરોએ લોકોમાં મીઠાઇ વહેંચી હતી અને તેમને બિરિયાની ખવડાવીને ખુશ કર્યા હતા.

તેલંગાણામાં ઉજવણી
રાત્રે જ્યારે તેલંગાણાને અલગ રાજ્યની માન્યતા મળી ત્યારથી આખી રાત હૈદરાબાદ સહિતના શહેરોમાં હજારોની સંખ્યામાં લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને એકબીજાને અભિનંદન આપી ઉજવણી કરી રહ્યા હતા.

તેલંગાણા રાષ્ટ્ર સમિતીની સરકાર
તેલંગાણામાં પહેલી સરકાર બનાવી પહેલી પાર્ટી તેલંગાણા રાષ્ટ્ર સમિતીના કાર્યકરોએ લોકોમાં મીઠાઇ વહેંચી હતી અને તેમને બિરિયાની ખવડાવીને ખુશ કર્યા હતા.

સોનિયા ગાંધીએ પાઠવી શુભેચ્છા
આ ખુશીમાં વિવિધ શહેરોમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા અને આતશબાજી કરવામાં આવી હતી. આ પ્રસંગે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે તેલંગાણાના નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી હતી.

યુપીએને શ્રેય
કોંગ્રેસના કાર્યકરોએ પણ હૈદરાબાદમાં રેલી કાઢી હતી અને અલગ તેલંગાણાનો શ્રેય યુપીએ સરકાર અને સોનિયા ગાંધીને આપ્યો હતો.

તેલંગાણામાં 10 જિલ્લા
તેલંગાણા રાજ્યની રચના સાથે જ આંધ્રપ્રદેશ કાયદેસર રીતે બે ભાગમાં વહેંચાઇ ગયું છે. તેલંગાણા રાજ્યમાં હૈદરાબાદ સહિત 10 જિલ્લા રહેશે. જ્યારે આંધ્રપ્રદેશમાં 13 જિલ્લા રહેશે.

10 વર્ષ સુધી એક જ રાજધાની
બંને રાજ્યોની રાજધાની 10 વર્ષ સુધી હૈદરાબાદ જ રહેશે. આંધ્રપ્રદેશના રાજ્યપાલ ઇએસએલ નરસિમ્હનને તેલંગાણાના પ્રથમ રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.

119 સભ્યોની વિધાનસભા
ચંદ્રશેખર રાવે તેલંગાણાના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. 119 સભ્યોવાળી તેલંગાણા વિધાનસભામાં રાવની પાર્ટી ટીઆરએસને બહુમતી મળી છે.

ફેબ્રુઆરીમાં પાસ થયું વિધેયક
નોંધનીય છે કે સંસદમાં આ વર્ષે ફેબ્રુઆરીમાં આંધ્રપ્રદેશના પુનર્ગઠનનું વિધેયક પસાર થયું હતું. જે પછી અલગ તેલંગાણાની રચનાનો માર્ગ સાફ થયો હતો. આ ભાગલાનો વિરોધ પણ થયો હતો.
આ ખુશીમાં વિવિધ શહેરોમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા અને આતશબાજી કરવામાં આવી હતી. આ પ્રસંગે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે તેલંગાણાના નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી હતી. કોંગ્રેસના કાર્યકરોએ પણ હૈદરાબાદમાં રેલી કાઢી હતી અને અલગ તેલંગાણાનો શ્રેય યુપીએ સરકાર અને સોનિયા ગાંધીને આપ્યો હતો.
તેલંગાણા રાજ્યની રચના સાથે જ આંધ્રપ્રદેશ કાયદેસર રીતે બે ભાગમાં વહેંચાઇ ગયું છે. તેલંગાણા રાજ્યમાં હૈદરાબાદ સહિત 10 જિલ્લા રહેશે. જ્યારે આંધ્રપ્રદેશમાં 13 જિલ્લા રહેશે. બંને રાજ્યોની રાજધાની 10 વર્ષ સુધી હૈદરાબાદ જ રહેશે.
આંધ્રપ્રદેશના રાજ્યપાલ ઇએસએલ નરસિમ્હનને તેલંગાણાના પ્રથમ રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. ચંદ્રશેખર રાવે તેલંગાણાના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. 119 સભ્યોવાળી તેલંગાણા વિધાનસભામાં રાવની પાર્ટી ટીઆરએસને બહુમતી મળી છે.
નોંધનીય છે કે સંસદમાં આ વર્ષે ફેબ્રુઆરીમાં આંધ્રપ્રદેશના પુનર્ગઠનનું વિધેયક પસાર થયું હતું. જે પછી અલગ તેલંગાણાની રચનાનો માર્ગ સાફ થયો હતો. આ ભાગલાનો વિરોધ પણ થયો હતો.
-
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી




Click it and Unblock the Notifications
