Telangana Election Result 2023: તેલંગાણામાં કોંગ્રેસને ધારાસભ્યો તૂટવાનો ડર, લીધુ આ મોટુ પગલું
Telangana Election Result 2023: દેશના પાંચ રાજ્યોની ચૂંટણી 30 નવેમ્બરે પૂર્ણ થઈ હતી. તેલંગાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં મતગણતરી ચાલી રહી છે. આ દરમિયાન, તેલંગાણામાં કોંગ્રેસને વલણોમાં જોરદાર લીડમાં છે પરંતુ કેન્દ્રીય નેતૃત્વને ધારાસભ્યોનમા તૂટવાનો ડર છે.
આથી કોંગ્રેસ પહેલાથી જ ઘણા નેતાઓને ત્યાં નિરીક્ષક તરીકે મોકલી ચૂકી છે. કોંગ્રેસે તેલંગાણામાં મત ગણતરી પ્રક્રિયા પર નજર રાખવા માટે એક ટીમ તેલંગાણા મોકલી છે. જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમ, સુશીલ કુમાર શિંદે, રણદીપ સિંહ સુરજેવાલા અને ડીકે શિવકુમારનો સમાવેશ થાય છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ પેહલેથી જ તેલંગાણા પર પોતાની નજર રાખી રહ્યુ છે. તેને ધ્યાનમાં રાખીને આ ચાર નેતાઓને ખાસ રણનીતિ હેઠળ ત્યાં મોકલવામાં આવ્યા છે. ખાસ કરીને એવી માહિતી પણ સામે આવી રહી છે કે કોંગ્રેસે તેલંગાણાના તમામ ઉમેદવારોને રવિવાર સુધીમાં હૈદરાબાદ પહોંચી જવાની સૂચના આપી છે.
આ દરમિયાન, એવા પણ સમાચાર છે કે આ ચાર દિગ્ગજ નેતાઓ સિવાય કેટલાક એવા નેતાઓને પણ હૈદરાબાદ મોકલવામાં આવ્યા છે જેમની ત્યાં સારી પકડ હોવાનું માનવામાં આવે છે. તેમાં કેબિનેટ મંત્રીઓ ઝમીર અહેમદ ખાન, બી નાગેન્દ્ર અને એનએસ બોસારાજુની નિમણૂક કરવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારે કહ્યું છે કે, અમને માહિતી મળી છે કે બીઆરએસ અમારા ઉમેદવારોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ અમને વિશ્વાસ છે કે અમને સ્પષ્ટ જનાદેશ મળશે અને કોંગ્રેસ પાર્ટીને સારા આંકડા મળશે. બીજી તરફ બોસારાજુનો દાવો છે કે તેલંગાણામાં કોંગ્રેસને 65 સીટો મળશે અને તેને કોઈના સમર્થનની જરૂર નથી.
ઉલ્લેખનીય છે કે 2024માં યોજાનારી સામાન્ય ચૂંટણી પહેલા કોંગ્રેસે તેલંગાણામાં જીત માટે તમામ પ્રયાસો કર્યા હતા. જો કોંગ્રેસ તેલંગાણામાં પોતાના દમ પર સરકાર બનાવવામાં સફળ થાય છે તો આગામી લોકસભા ચૂંટણીમાં તેનો ફાયદો મળવાની આશા છે. જો કે આ વખતે ભાજપે પણ જોરદાર પ્રયાસ કર્યો છે પરંતુ તેનું પ્રદર્શન કેવું રહે છે તે જોવું રહ્યું.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
