Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'તેલંગાના સીએમ સામે CBI-EDનો કોઈ કેસ નોંધાયો નહિ', રાહુલ ગાંધીનો KCR પર ભાજપ સાથે મિલીભગતનો આરોપ

Telangana Assembly Election 2023: તેલંગાણામાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે. ભાજપ, કોંગ્રેસ અને બીઆરએસ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થયો છે. આ વખતે તેલંગાણામાં ત્રણેય પક્ષો વચ્ચે જોરદાર લડાઈ જોવા મળી રહી છે. રાહુલ ગાંધીએ તેલંગાણાની મુલાકાત લીધી, જ્યાં એક ચૂંટણી સભાને સંબોધિત કરતી વખતે તેમણે BRS અને BJP પર મિલીભગતનો આરોપ લગાવ્યો.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી સાથે મુલુગુ જિલ્લાની મુલાકાત લીધી હતી, જ્યાં મંદિરના દર્શન કર્યા બાદ રાહુલ ગાંધીએ રોડ શો કર્યો હતો. આ પછી, એક સભાને સંબોધિત કરતી વખતે, તેમણે તેલંગાણાની જનતાને ઘણા વચનો આપ્યા.

Rahul Gandhi

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ મુલુગુ જિલ્લામાંથી કોંગ્રેસની 'બસ વિજયભેરી યાત્રા' શરૂ કરી હતી. રેલીને સંબોધિત કરતી વખતે તેમણે રાજ્યના સીએમ કેસીઆર પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે CBI કે EDએ તેલંગાણાના સીએમ વિરુદ્ધ કોઈ કેસ નોંધ્યો નથી. તમારા સીએમ સિવાય દરેક વિપક્ષી નેતા સામે કેસ નોંધવામાં આવ્યા છે. જો તમે બીઆરએસ માટે તમારો મત આપો છો, તો તે ભાજપ માટે હશે."

તેલંગાણામાં સત્તાની લડાઈને લઈને રાહુલ ગાંધીએ કહ્યું કે ચૂંટણીમાં બીઆરએસ અને કોંગ્રેસ વચ્ચે લડાઈ છે. અમે ભાજપને સાઈડલાઈન કર્યું છે. પરંતુ ભાજપ ઇચ્છે છે કે તેલંગાણામાં બીઆરએસ જીતે. તેઓ સાથે મળીને કામ કરી રહ્યા છે. સંસદ ભવનમાં બીઆરએસે તે કર્યું જે ભાજપ ઇચ્છે છે.

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, "સામાન્ય રીતે, રાજકીય પક્ષો એવા વચનો આપતા નથી જેનાથી તેમને નુકસાન થાય, પરંતુ અમે તેના વિશે વિચાર્યું નથી. તમારા મુખ્યમંત્રીએ પણ વચનો આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે તેઓ દરેક પરિવારને 3 એકર જમીન આપશે. , શું મુખ્યમંત્રીએ તમને જમીન આપી? રોજગારી આપવાનું વચન આપ્યું હતું, શું તમને રોજગારી મળી? તેમણે કહ્યું હતું કે 1 લાખ રૂપિયા સુધીની લોન માફ કરીશું, કોની લોન માફ કરી? બીજી તરફ અમે જે કહીએ છીએ તે કરીએ છીએ..."

રેલીને સંબોધતા એઆઈસીસીના જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું, "કોંગ્રેસ સરકાર લોકોની સરકાર હતી અને તમને મજબૂત કરવા માટે બનાવવામાં આવી હતી. અમે તેલંગાણા માટે વિઝન અને રોડમેપ બનાવ્યો છે, અમે આપેલી ગેરંટી પર કામ શરૂ કરી દીધું છે."

તેમણે કહ્યું, "અમે નક્કી કર્યું છે કે તેલંગાણામાં SC ને 18 ટકા અને ST ને 12 ટકા અનામત આપવામાં આવશે. આંબેડકર અભય હસ્તમ યોજના હેઠળ, એસસી અને એસટી પરિવારોને 12 લાખ રૂપિયા આપવામાં આવશે. ઇન્દિરમ્મા પક્કા ઘર યોજના હેઠળ, ઘરવિહોણા એસસી અને એસટી પરિવારોને તેમના પોતાના ઘર બનાવવા માટે જમીન અને રૂ. 6 લાખ આપવામાં આવશે.

પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું, "કોંગ્રેસ પાર્ટીનો સિદ્ધાંત છે કે સામાજિક ન્યાય હોવો જોઈએ અને બધાએ સાથે મળીને આગળ વધવું જોઈએ. જ્યારે કોંગ્રેસે જોયું કે આ (તેલંગાણા રાજ્યની સ્થાપના) તમારું સ્વપ્ન હતું અને તમે તેના માટે લડી રહ્યા હતા. તેથી પાર્ટીએ સમજ્યુ અને તેલંગાણા રાજ્ય બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X