Telangana Result :કોણ છે તેલંગાણામાં કોંગ્રેસની જીતના હિરો સુનીલ કાનુગોલુ?
ચાર રાજ્યોની ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસને રાજસ્થાન અને છત્તીસગઢ ગુમાવવાનો વારો આવ્યો છે. જો કે કોંગ્રેસે તેલંગાણામાં જીત મેળવી છે. હવે કોંગ્રેસની આ જીત માટે એક ખાસ વ્યક્તિને શ્રેય અપાઈ રહ્યો છે.
તેલંગાણામાં કોંગ્રેસનો વિજય થયો છે. 2014માં આંધ્રપ્રદેશથી અલગ થઈને બનેલી તેલંગાણામાં કોંગ્રેસ પાર્ટી પ્રથમ વખત સત્તા પર આવી છે. કોંગ્રેસની આ જીત પાછળ એક રણનીતિકારનો હાથ મનાય છે. જેણે માત્ર એક વર્ષમાં કોંગ્રેસને બીજી જીત અપાવી છે.

તેલંગાણાની કુલ 119 બેઠકોમાંથી કોંગ્રેસે બહુમતી હાંસલ કરી અને કુલ 64 બેઠકો જીતવામાં સફળતા મેળવી છે. આ સિવાય ભારત રાષ્ટ્ર સમિતિને આ વખતે 39 બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે.
2018 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે માત્ર 16 સીટો જીતી હતી, પરંતુ સંપૂર્ણ તાકાત બતાવ્યા બાદ આ વખતે પાર્ટીએ ચાર ગણી સીટો જીતી છે. કોંગ્રેસની આ જીત પાછળ સુનીલ કાનુગોલુ છે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની શાનદાર જીતમાં વ્યૂહરચનાકાર સુનીલ કાનુગોલુની મહત્વની ભૂમિકા માનવામાં આવી રહી છે. જે બાદ કાનુગોલુને તેલંગાણાની જવાબદારી સોંપવામાં આવી હતી, જેમાં તેમણે પોતાને સંપૂર્ણ રીતે સાબિત કર્યા છે.
સુનીલ કાનુગોલુ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરના સહયોગી રહ્યા છે. 2009માં અમેરિકાથી પરત આવ્યા બાદ કાનુગોલુ પીકે એટલે કે પ્રશાંત કિશોરની ટીમ સાથે જોડાયા. ત્યારબાદ 2014ની લોકસભા ચૂંટણીમાં પીએમ મોદીના ચૂંટણી પ્રચાર માટે કામ કર્યું.
2014માં પ્રશાંત કિશોરે બીજેપીથી દૂરી લીધી હોવા છતાં તે બીજેપી સાથે જોડાયેલા રહ્યા. સુનીલ કાનુગોલુએ 2017ની યુપી વિધાનસભા ચૂંટણી માટે પણ રણનીતિ બનાવી હતી.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા






Click it and Unblock the Notifications
