Terror Attack : જમ્મુ કાશ્મીરમાં LOC પાસે આતંકી હુમલો, 2 જવાન સહિત 4 નાં મોત
Terror Attack : નરેન્દ્ર મોદી સરકારના કાર્યકાળમાં સેનાના જવાનો સતત તેમના જીવ ગુમાવી રહ્યાં છે. જમ્મુ કાશ્મીરમાં વધુ એક હુમલામાં સેનાના 2 જવાનો સહિત 4 લોકોએ જીવ ગુમાવ્યા છે.
સમાચારો અનુસાર, એલઓસી પાસે આંતકીઓએ સેનાના વાહનને નિશાન બનાવ્યુ. આ ઘટનામાં 2 જવાનો શહિદ થયા છે. હુમલામાં 2 બે લોકોએ પણ પોતાના જીવ ગુમાવ્યા છે.

એલઓસી નજીક બોટાપથર ગુલમર્ગના નાગીન પોસ્ટ વિસ્તાર પાસે સેનાના વાહન પર આ હુમલો થયો. પોલીસે ઘટનાની પુષ્ટિ કરી છે અને સૂત્રોનું કહેવું છે કે આ ઘૂસણખોરીનો પ્રયાસ હોઈ શકે છે.
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ હુમલા પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે, ઉત્તર કાશ્મીરના બુટા પાથરી વિસ્તારમાં સેનાના વાહનો પર થયેલા હુમલા અંગેના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ સમાચાર મળ્યા, જેમાં કેટલાક લોકો ઘાયલ થયા અને માર્યા ગયા છે.
તેમણે કહ્યું કે, કાશ્મીરમાં તાજેતરના હુમલાઓની આ શ્રેણી ગંભીર ચિંતાનો વિષય છે. હું આ હુમલાની સખત નિંદા કરું છું અને જે લોકોએ જીવ ગુમાવ્યો છે તેમના પ્રિયજનો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. હું પણ પ્રાર્થના કરું છું કે ઘાયલ લોકો સંપૂર્ણ અને ઝડપથી સાજા થાય.
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીએ હુમલાને લઈને શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે, બારામુલ્લામાં સેનાના કાફલા પર થયેલા આતંકવાદી હુમલાથી આઘાત અને ખૂબ જ દુઃખી છું, જેમાં એક નાગરિકનું મોત થયું છે. હું સ્પષ્ટપણે આની નિંદા કરું છું અને ઘાયલ સૈનિકો ઝડપથી સાજા થાય તે માટે પ્રાર્થના કરું છું.
જણાવી દઈએ કે, જમ્મુ કાશ્મીરમાં સતત હુમલા થઈ રહ્યા છે. મોદી સરકારના દાવા વચ્ચે સેનાના જવાનોએ આતંકીઓની ગોળીઓનો ભોગ બનવુ પડી રહ્યું છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના







Click it and Unblock the Notifications
