For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાલ લાલ કિલ્લાના દોષિતોને ફાંસી નહીં અપાય: સુપ્રીમ કોર્ટ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 28 એપ્રિલ : ભારતની સર્વોચ્ચ અદાલતે 22 ડિસેમ્બર, 2000ના લાલ કિલ્લાના હુમલામાં દોષિત મોહમ્મદ આરિફની ફાંસી પર પ્રતિબંધ લગાવી દીધો છે. મોહમ્મદ આરિફ 13 વર્ષ 4 મહિનાથી જેલમાં બંધ છે.

નવેમ્બર 2005માં આરિફને દોષિત ઠેરવવામાં આવ્યો હતો. ત્યાર બાદ વર્ષ 2007માં હાઇકોર્ટે અને વર્ષ 2011માં સુપ્રીમ કોર્ટે આરિફની ફાંસીની સજાને યથાવત રાખી હતી.

supreme-court

આજે સુપ્રીમ કોર્ટે સમગ્ર કેસને બંધારણીય પીઠને સમીક્ષા માટે મોકલી આપ્યો છે. આ અંગે સુપ્રીમ કોર્ટે આજે રિવ્યુ પીટીશનની સુનવણી કરતા સમયે કેસ બંધારણીય પીઠને સોંપી આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે 22 ડિસેમ્બર, 2000ના રોજ લશ્કર એ તૈબાના 6 આતંકવાદીઓએ લાલ કિલ્લા પર હુમલો કર્યો હતો અને લશ્કરના કેમ્પમાં ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં ત્રણના મોત થયા હતા.

English summary
The Supreme Court has said that a prisoner on death row who has been convicted for an attack on the Red Fort in Delhi will not hang for now.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X