J&K:કુપવાડાના આતંકી હુમલામાં 3 જવાન શહીદ, 2 આતંકી ઠાર
જમ્મુ-કાશ્મીરના કુપવાડાના પંજગામ સેક્ટરના આર્મી કેમ્પ પર આતંકી હુમલો થયો છે, જેમાં કેપ્ટન સહિત 3 જવાન શહીદ થયા છે તથા 2 આંતકી ઠાર મરાયા છે.
જમ્મુ-કાશ્મીર ના કુપવાડામાં આંતકી હુમલો થયો હોવાની ખબર છે. કુપવાડાના પંજગામ સેક્ટરના આર્મી કેમ્પ પર આ આતંકી હુમલો થયો હતો. આ આંતકી હુમલામાં એક કેપ્ટન સહિત 3 જવાન શહીદ થયા હતા. સુરક્ષાદળો દ્વારા હાથ ધરવામાં આવેલ ઓપરેશનમાં 2 આતંકીઓ ઠાર મરાયા હતા.

આર્મી કેમ્પ પર આત્મઘાતી હુમલો
પ્રાપ્ત જાણકારી અનુસાર આતંકવાદીઓએ ગુરૂવારે સવારે 5.15 વાગ્યે કુપવાડાના પંજગામ વિસ્તારના આર્મી કેમ્પમાં ઘુસવાનો પ્રયત્ન કર્યો હતો. તેમણે આર્મી કેમ્પ પર આત્મઘાતી હુમલો કરવાની તૈયારીમાં હતા. પરંતુ સુરક્ષાદળના જવાનોએ સમયસર તેમનો ઇરાદો સમજી લેતાં આતંકવાદીઓ આત્મઘાતી હુમલો કરવામાં નિષ્ફળ રહ્યાં. આતંકીઓને રોકવા સુરક્ષાદળોએ કરેલ હુમલામાં 2 આતંકીઓ ઠાર મરાયા હતા. આ અથડામણમાં 5 જવાનો ઇજાગ્રસ્ત થયા છે. તેમને શ્રીનગર હોસ્પિટલમાં દાખલ કરવા માટે એરલિફ્ટ કરવામાં આવ્યા છે.
પંજગામ શ્રીનગર થી 87 કિમી અને પાકિસ્તાનના કબજામાં રહેલ કાશ્મીર(પીએકે)ની રાજધાનીથી લગભગ 74 કિમી દૂર આવેલું છે. આ વિસ્તારમાં સુરક્ષાદળો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ આતંકવાદીઓ બોર્ડર પાર કરીને આવ્યા હોવાની શંકા છે. આ દરમિયાન અલગાવવાદી નેતા અસિયા અંદ્રાબીની પણ ધરપકડ કરવામાં આવી છે.
ઇન્ટેલિજન્સ રિપોર્ટ
ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલાં જ ઇન્ટેલિજન્સ રિપોર્ટમાં સૂચવવામાં આવ્યું હતું કે, 100થી વધુ આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીરમાં ઘુસણખોરી કરવાની ફિરાકમાં છે. આ રિપોર્ટના એક જ દિવસ બાદ આ આતંકી હુમલો થયો છે. રિપોર્ટ્સમાં એમ પણ કહેવાયું છે કે, પાકિસ્તાને આ આતંકવાદીઓને પાકિસ્તાનના કબજામાં રહેલ કાશ્મીર મોકલ્યા છે. આ આતંકવાદીઓનું કામ છે, જમ્મુ-કાશ્મીરમાં અશાંતિ ઉત્પન્ન કરતાં વિરોધી તથા અલગાવવાદીઓની મદદ કરવી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
