શ્રીનગરમાં પોલીસ ચોકી પર આતંકી હુમલો, કોઇ નુકસાન નહીં

બાગહાટ કનિપૂરા વિસ્તારમાં ગઇકાલે સાંજે લગભગ સાત વાગ્યે કેટલીક આતંકી હિલચાલ અંગે ગુપ્ત માહિતી મળ્યા બાદ પોલીસે વિસ્તારમાં એક તપાસ ચોકી બનાવી છે. કારના ડ્રાઇવરે રોકવાના ઇશારાને નજરઅંદાજ કર્યો અને દરમિયાનમાં પાછળની સીટ પર બેઠાલા એક આતંકીએ પિસ્તોલ દ્વારા ગોળી ચલાવી અને પોલીસ જવાનો પર ગ્રેનેડ ફેંકી હુમલો કર્યો.
સૂત્રોનું કહેવું છે કે ગ્રેનેડ ફૂંટ્યો નહીં અને ગોળીબારીમાં કોઇ પણ જવાન ઘાયલ નથી થયો. આતંકી ઘટનાસ્થળથી ફરાર થવામાં સફળ થયા હતા. પોલીસ હવે સફેદ રંગની એ મારૂતી 800 કારની તપાસમાં લાગી છે જેમાં બેસીને આતંકવાદીઓએ આ હુમલો કર્યો હતો.
એક અન્ય ઘટનામાં, ઉત્તરી કાશ્મીરના સોપોર શહેરના બોમાઇ ગામમાં આતંકવાદીઓએ એક સરપંચને ગોળી મારીને ઘાયલ કરી દીધો. આવતા સપ્તાહે શરૂ થઇ રહેલા 'દરબાર પરિવર્તન'ને ધ્યાનમાં રાખી સમગ્ર કાશ્મીર ઘાટીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.












Click it and Unblock the Notifications
