પંપોરમાં સેનાની ટુકડી પર હુમલો, 3 જવાન શહીદ
જમ્મુ કાશ્મીરમાં સેનાની ટુકડી પર આતંકીઓએ કર્યો હુમલો, 3 જવાનો થયા શહિદ.
દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં આવેલ પંપોરમાં ભારતીય સેનાની ટુકડી પર આતંકી હુમલો થયો હોવાની ખબર આવી છે. છાપો મારીને કરવામાં આવેલા આ હુમલામાં સેનાના ત્રણ જવાનો શહિદ થયા છે. આ ધટના ત્યારે થઇ જ્યારે સેનાની ટુકડી નેશનલ હાઇવે વનથી પસાર થઇ રહી હતી. આતંકીઓએ અચાનક ફાયરિંગ કરવાની શરૂઆત કરી હતી. જેના જવાબમાં સેનાએ પણ ફાયરિંગ કરી હતી.

નોંધનીય છે કે આ બાદ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. સીઆરપીએફના ડીજીના કહેવા મુજબ જે જગ્યાએ હુમલો થયો ત્યાં ખૂબ જ ભીડ હતી. એટલે સેના વળતો જવાબ ના આપી શકે. આ ધટનામાં ત્રણ જવાનો શહીદ થયા છે. નોંધનીય છે કે ગત બે અઠવાડિયામાં પુલવામાં બેંક લૂટવાની પણ ધટનાઓ થઇ ચૂકી છે.
Terrorists attacked,security forces retaliated; Public was present so couldn't fire openly bt terrorists were forced to run away:IG(Ops)CRPF pic.twitter.com/F2SylDv95j
— ANI (@ANI_news) December 17, 2016












Click it and Unblock the Notifications
