જમ્મુ કાશ્મીર: સતત બીજા દિવસે સીઆરપીએફ પોસ્ટ પર ગ્રેનેડ હુમલો
જમ્મુ કાશ્મીરના બારામુલા જિલ્લાના સોપેરમાં આતંકીઓ ઘ્વારા બુધવારે રાત્રે એક પોલીસ ચોકી પર ગ્રેનેડ ઘ્વારા હુમલો કરવામાં આવ્યો છે.
જમ્મુ કાશ્મીરના બારામુલા જિલ્લાના સોપેરમાં આતંકીઓ ઘ્વારા બુધવારે રાત્રે એક પોલીસ ચોકી પર ગ્રેનેડ ઘ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આતંકીઓ ઘ્વારા સુરક્ષાબળોની વાટરગેમ પોલીસ પોસ્ટને નિશાનો બનાવતા ગ્રેનેડ ઘ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આતંકીઓ ગ્રેનેડ ફેંકીને ભાગી ગયા પરંતુ ગ્રેનેડ પોસ્ટના બહારના હિસ્સામાં પડ્યો. જેને કારણે મોટી દુર્ઘટના થતી રહી ગયી.
સુરક્ષાબળો ઘ્વારા આખા વિસ્તારના ઘેરામાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. જયારે બીજી બાજુ પુલવામાં મોડી રાત્રે ગોળીઓનો અવાઝ આવવાથી ભયનો માહોલ ફેલાઈ ગયો. એસએસપી અવંતી જાહિદ મલિક ઘ્વારા જણાવવામાં આવ્યું કે કેટલાક અવાઝો આવ્યા હતા પરંતુ તેમાં કોઈને પણ કોઈ નુકશાન થયું નથી.
આ પહેલા મંગળવારે મોડી રાત્રે આતંકીઓ ઘ્વારા દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના હવાલ વિસ્તારમાં સીઆરપીએફ અને સેનાના સંયુક્ત કેમ્પ પર હુમલો કરવામાં આવ્યો હતો. પરંતુ તેમાં કોઈ પણ પ્રકારના નુકશાન વિશે માહિતી નથી મળી. સીઆરપીએફ પોસ્ટ પર આતંકીઓ ઘ્વારા ગ્રેનેડ હુમલો હુમલો કરવામાં આવ્યો. આ ગ્રેનેડ મુખ્ય ગેટ પાસે પડીને ફાટી ગયો. આતંકી હુમલા પછી ગેટ પર હાજર રહેલા સંત્રીએ જવાબી પલટવાર કરતા અંધાધુન ફાયરિંગ શરુ કરી દીધી. ત્યારપછી આતંકીઓ ત્યાંથી ભાગી નીકળ્યા.