For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વરસાદે લગાડ્યા તાજમહાલની સુંદરતામાં ચાર ચાંદ

|
Google Oneindia Gujarati News

taj mahal
આગરા, 25 જૂન : આગરામાં 17મી સદીમાં બનાવવામાં આવેલ મોગલ સ્થાપત્ય કલાના શાનદાર નમૂનો તાજમહાલ મંગળવારે વરસાદના કારણે વધું ખીલી ઉઠ્યો હતો. અહીં સુધી તાજની સુંદરતામાં ચાર ચાંદ લગાવનાર યમુના પણ તેના આધારને અડીને વહેવા લાગી છે.

આગરામાં યમુના ખતરાના નિશાન 495 ફૂટથી પાંચ ફૂટ નીચે પહોંચી ચૂકી છે. શહેરનું તાપમાન 40 ડીગ્રીથી સીધું 30 ડિગ્રી પર જઇ રહ્યું છે. આવનારા થોડા દિવસોમાં શહેરમાં વરસાદ થવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

વરસાદ બાદ નિખરેલા તાજમહાલની સુંદરતાને જોતા તેને નિહાળવા માટે વધું પ્રવાસીઓ આવી રહ્યા છે. આગરામાં પ્રાચીન વિરાસતો માટે હેરિટેજ વોકનું આયોજન કરનાર સંસ્થા 'આગરા બીટ'ના અમિત સિસોદિયાએ કહ્યું કે 'તાજની પાછળ થઇને વહેનાર યમુના નયનરમ્ય દ્રશ્ય ઉપસાવી રહી છે.'

તેમણે કહ્યું કે 'છેલ્લા કેટલાંક સમયથી લગભગ કેનાલમાં ફેરવાઇ ગયેલી યમૂનાએ પોતનું અસલી રૂપ પામી લીધું છે, જેણે એક સમયમાં પોતાના રૂપના કારણે મુગલોને પોતાના ખોળામાં આ સુંદર મહાલના નિર્માણ માટે આકર્ષિત કર્યા હતા.' તાજમહાલ ભારતનું સૌથી દર્શનીય પ્રવાસન સ્થળ છે.

English summary
Thanks to the rain-swollen Yamuna, the Taj Mahal is attracting more and more visitors.By Monday, the green stretch artificially developed will be totally submerged," guide Ved Gautam told IANS.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X