પૂર્વ સાંસદ કમલેશ વાલ્મિકીની લાશ તેમના ઘર પાસે મળવાથી હડકંપ
સમાજવાદી પાર્ટીના પૂર્વ સાંસદ કમલેશ વાલ્મિકીની તેમના ઘર પાસે લાશ મળવાથી હડકંપ મચી ગયો છે. કમલેશ વાલ્મિકીની લાશ ખુર્જા પાસે તેમના ઘરની નજીક મળી આવી છે.
સમાજવાદી પાર્ટીના પૂર્વ સાંસદ કમલેશ વાલ્મિકીની તેમના ઘર પાસે લાશ મળવાથી હડકંપ મચી ગયો છે. કમલેશ વાલ્મિકીની લાશ ખુર્જા પાસે તેમના ઘરની નજીક મળી આવી છે. કમલેશ વાલ્મિકી બુલંદશહેરથી સાંસદ હતા. લાશ મળ્યા પછી પોલીસે જણાવ્યું કે શરૂઆતી તપાસમાં એવું લાગે છે કે ઝેર ખાવાને કારણે તેમની મૌત થઇ છે. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે પરંતુ હજુ સુધી આ વાતની ખબર નથી પડી કે કમલેશ વાલ્મીકિએ આત્મહત્યા કરી છે કે પછી તેમની હત્યા કરવામાં આવી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

પોલીસે જણાવ્યું કે વાલ્મિકીના ભત્રીજા લલિતે બપોરે પોતાના કાકાને આ ઘટનાની જાણકારી આપી હતી. ખુર્જાના ક્ષેત્રાધિકારી ગોપાલ સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે ઘરનો દરવાજો અંદરથી બંધ હતો જયારે પરિવારના લોકોએ ઘરનો દરવાજો ખોલ્યો ત્યારે અંદર વાલ્મિકીની લાશ પડી હતી. ત્યારપછી લાશને કબ્જામાં લઈને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી. પોલીસને આ વાતની શંકા છે કે તેમની મૌત ઝેર ખાવાને કારણે થઇ છે, પરંતુ પોલીસ હજુ પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવવાની રાહ જોઈ રહી છે.
આ પણ વાંચો: અમેઠીમાં સ્મૃતિ ઈરાની નજીકના ભાજપા નેતાની હત્યા, 7 લોકોની અટક
પોલીસે જણાવ્યું કે ખુર્જામાં ઇદગાહ રોડ પર વાલ્મિકીના ઘરે ફોરેન્સિક અને પોલીસ અધિકારીઓની ટીમ પહોંચી અને ત્યાં પુરાવા ભેગા કર્યા. આપને જણાવી દઈએ કે વર્ષ 2009 લોકસભા ચૂંટણી દરમિયાન વાલ્મિકી બુલંદશહેરથી જીત્યા હતા.
-
અસમ, કેરળ અને પુડુચેરીમાં એકસાથે મતદાન, સમજો 296 બેઠકોનું ગણિત -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
હૂમાયુ કબીર વિડિયો વિવાદ બાદ AIMIM એ AJUP સાથેનું ગઠબંધન તોડ્યું -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ












Click it and Unblock the Notifications
