હિજબુલ, લશ્કર જેવા આતંકી સંગઠનો સાથે જોડાયેલ 10 લોકોએ કેન્દ્ર સરકારે ઘોષિત કર્યા
કેન્દ્ર સરકારે હિઝબુલ મુજાહિદ્દીન, લશ્કર-એ-તૈયબા અને અન્ય આતંકવાદી સંગઠનોના 10 સભ્યોને આતંકવાદીઓની યાદીમાં મૂકવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ તમામ સામે ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ કાર્ય
કેન્દ્ર સરકારે હિઝબુલ મુજાહિદ્દીન, લશ્કર-એ-તૈયબા અને અન્ય આતંકવાદી સંગઠનોના 10 સભ્યોને આતંકવાદીઓની યાદીમાં મૂકવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ તમામ સામે ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ કાર્યવાહી કરી છે. આ યાદીમાં હિઝબુલ્લાહ મલિક ઉર્ફે સાજિદ જટ્ટ છે, જે પાકિસ્તાની નાગરિક છે, બાસિત અહમદ રેશી, જમ્મુ અને કાશ્મીરના બારામુલાનો રહેવાસી છે પરંતુ હાલમાં તે પાકિસ્તાનમાંથી પોતાની પ્રવૃત્તિઓ ચલાવે છે.

આ સાથે જમ્મુ-કાશ્મીરના સોપોરના ઈમ્તિયાઝ અહેમદ કંડુ અને પૂંચના જફર ઈકબર ઉર્ફે સલીમને પણ આતંકવાદી જાહેર કરવામાં આવ્યા છે. આ બંને હાલ પાકિસ્તાનમાં રહે છે. પુલવામાના રહેવાસી જમીલ-ઉર-રહેમાનને પણ આતંકીઓની યાદીમાં મૂકવામાં આવ્યો છે. આતંકવાદીઓની યાદીમાં અન્ય નામોમાં શ્રીનગરનો રહેવાસી પરંતુ હાલ પાકિસ્તાનમાં હાજર બિલાલ અહેમદ બેગ ઉર્ફે બાબર, પૂંચના રફીક નાઈ ઉર્ફે સુલતાન, ડોડાના ઈર્શાદ અહેમદ ઉર્ફે ઈદ્રીસ, કુપવાડાના બશીર અહેમદ પીર ઉર્ફે ઈમ્તિયાઝ અને શૌકત અહેમદ શેખ ઉર્ફેનો સમાવેશ થાય છે. બારામુલ્લાના શૌકત મોચી, જે હવે પાકિસ્તાનમાં છે, તેને પણ આ યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે.
અલગ-અલગ સુચનાઓમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું કે હબીબુલ્લાહ મલિક પૂંચમાં ભારતીય સૈનિકો પર હુમલો કરનારા મુખ્ય આતંકવાદીઓનો હેન્ડલર હતો. આ સાથે જમ્મુ અને કાશ્મીર ક્ષેત્રમાં સક્રિય આતંકવાદીઓ માટે જમ્મુમાં ડ્રોન દ્વારા હથિયારો સપ્લાય કરવામાં સામેલ છે. મલિકે ભયંકર આતંકવાદીઓનું નેટવર્ક પણ બનાવ્યું છે, જેની મદદથી કાશ્મીરમાં ઘણી આતંકી ઘટનાઓને અંજામ આપવામાં આવ્યો હતો. તેમાં જૂન 2013માં હૈદરપોરા, શ્રીનગરમાં સેનાના જવાનો પર આત્મઘાતી હુમલો અને ડિસેમ્બર 2013માં બડગામના ચદૂરા ખાતે સ્ટેશન ઓફિસરની હત્યાનો સમાવેશ થાય છે.
મલિક લશ્કર-એ-તૈયબા અને ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) નામના સંગઠનો સાથે જોડાયેલ છે. તાજેતરના સમયમાં ઘણી આતંકી ઘટનાઓમાં TRFનું નામ સામે આવ્યું છે. બાસિત અહેમદ રેશી હિઝબુલ મુજાહિદ્દીન સાથે સંકળાયેલો છે અને જમ્મુ અને કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ માટે જવાબદાર છે. હિઝબુલ સાથે સંકળાયેલા ઈમ્તિયાઝ અહેમદ કાંડુ આતંકવાદીઓ માટે ફંડ એકઠું કરી રહ્યો છે અને યુવાનોને આતંકવાદી બનવા માટે પ્રેરિત કરી રહ્યો છે.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા









Click it and Unblock the Notifications
