હિજબુલ, લશ્કર જેવા આતંકી સંગઠનો સાથે જોડાયેલ 10 લોકોએ કેન્દ્ર સરકારે ઘોષિત કર્યા
કેન્દ્ર સરકારે હિઝબુલ મુજાહિદ્દીન, લશ્કર-એ-તૈયબા અને અન્ય આતંકવાદી સંગઠનોના 10 સભ્યોને આતંકવાદીઓની યાદીમાં મૂકવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ તમામ સામે ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ કાર્ય
કેન્દ્ર સરકારે હિઝબુલ મુજાહિદ્દીન, લશ્કર-એ-તૈયબા અને અન્ય આતંકવાદી સંગઠનોના 10 સભ્યોને આતંકવાદીઓની યાદીમાં મૂકવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ તમામ સામે ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ કાર્યવાહી કરી છે. આ યાદીમાં હિઝબુલ્લાહ મલિક ઉર્ફે સાજિદ જટ્ટ છે, જે પાકિસ્તાની નાગરિક છે, બાસિત અહમદ રેશી, જમ્મુ અને કાશ્મીરના બારામુલાનો રહેવાસી છે પરંતુ હાલમાં તે પાકિસ્તાનમાંથી પોતાની પ્રવૃત્તિઓ ચલાવે છે.
આ સાથે જમ્મુ-કાશ્મીરના સોપોરના ઈમ્તિયાઝ અહેમદ કંડુ અને પૂંચના જફર ઈકબર ઉર્ફે સલીમને પણ આતંકવાદી જાહેર કરવામાં આવ્યા છે. આ બંને હાલ પાકિસ્તાનમાં રહે છે. પુલવામાના રહેવાસી જમીલ-ઉર-રહેમાનને પણ આતંકીઓની યાદીમાં મૂકવામાં આવ્યો છે. આતંકવાદીઓની યાદીમાં અન્ય નામોમાં શ્રીનગરનો રહેવાસી પરંતુ હાલ પાકિસ્તાનમાં હાજર બિલાલ અહેમદ બેગ ઉર્ફે બાબર, પૂંચના રફીક નાઈ ઉર્ફે સુલતાન, ડોડાના ઈર્શાદ અહેમદ ઉર્ફે ઈદ્રીસ, કુપવાડાના બશીર અહેમદ પીર ઉર્ફે ઈમ્તિયાઝ અને શૌકત અહેમદ શેખ ઉર્ફેનો સમાવેશ થાય છે. બારામુલ્લાના શૌકત મોચી, જે હવે પાકિસ્તાનમાં છે, તેને પણ આ યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે.
અલગ-અલગ સુચનાઓમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું કે હબીબુલ્લાહ મલિક પૂંચમાં ભારતીય સૈનિકો પર હુમલો કરનારા મુખ્ય આતંકવાદીઓનો હેન્ડલર હતો. આ સાથે જમ્મુ અને કાશ્મીર ક્ષેત્રમાં સક્રિય આતંકવાદીઓ માટે જમ્મુમાં ડ્રોન દ્વારા હથિયારો સપ્લાય કરવામાં સામેલ છે. મલિકે ભયંકર આતંકવાદીઓનું નેટવર્ક પણ બનાવ્યું છે, જેની મદદથી કાશ્મીરમાં ઘણી આતંકી ઘટનાઓને અંજામ આપવામાં આવ્યો હતો. તેમાં જૂન 2013માં હૈદરપોરા, શ્રીનગરમાં સેનાના જવાનો પર આત્મઘાતી હુમલો અને ડિસેમ્બર 2013માં બડગામના ચદૂરા ખાતે સ્ટેશન ઓફિસરની હત્યાનો સમાવેશ થાય છે.
મલિક લશ્કર-એ-તૈયબા અને ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) નામના સંગઠનો સાથે જોડાયેલ છે. તાજેતરના સમયમાં ઘણી આતંકી ઘટનાઓમાં TRFનું નામ સામે આવ્યું છે. બાસિત અહેમદ રેશી હિઝબુલ મુજાહિદ્દીન સાથે સંકળાયેલો છે અને જમ્મુ અને કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ માટે જવાબદાર છે. હિઝબુલ સાથે સંકળાયેલા ઈમ્તિયાઝ અહેમદ કાંડુ આતંકવાદીઓ માટે ફંડ એકઠું કરી રહ્યો છે અને યુવાનોને આતંકવાદી બનવા માટે પ્રેરિત કરી રહ્યો છે.