આ છે પ્રામાણિકતાનો સૌથી મોટો પુરાવો- AAP સરકારમાં રેવન્યુ સરપ્લના CAGના રિપોર્ટ પછી કેજરીવાલ
CAGના અહેવાલને ટાંકીને દિલ્હી સરકાર નફામાં ચાલી રહી હોવાનું જણાવતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે કહ્યુ હતુ કે આ સંખ્યા તેની પ્રામાણિકતાનો સૌથી મોટો પુરાવો છે.
નવી દિલ્લીઃ CAGના અહેવાલને ટાંકીને દિલ્હી સરકાર નફામાં ચાલી રહી હોવાનું જણાવતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે કહ્યુ હતુ કે આ સંખ્યા તેની પ્રામાણિકતાનો સૌથી મોટો પુરાવો છે. તેમણે કહ્યુ કે આપ સરકારની પ્રામાણિકતાએ વિરોધીઓની ઊંઘ હરામ કરી દીધી છે. મંગળવારે વિધાનસભામાં રજૂ કરાયેલા કૉમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ હતુ કે દિલ્હી સરકાર પાસે 2015-16થી 2019-20 સુધી રેવન્યુ સરપ્લસ છે.
જો કે, તેમણે ઉલ્લેખ કર્યો છે કે દિલ્હી સરકાર મોટાભાગે મહેસૂલ સરપ્લસ જાળવી રાખવામાં સક્ષમ હતી કારણ કે તેના કર્મચારીઓની પેન્શન જવાબદારીઓ કેન્દ્ર સરકાર દ્વારા ઉઠાવવામાં આવી રહી હતી અને દિલ્હી પોલીસનો ખર્ચ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. સીએમ અરવિંદે કેજરીવાલે હિન્દીમાં ટ્વિટ કરીને કહ્યુ કે, 'આ CAGનો રિપોર્ટ છે. તે કહે છે કે AAP સત્તામાં આવી ત્યારથી દિલ્હી સરકાર નફામાં ચાલી રહી છે. AAPની પ્રામાણિકતાનો આ સૌથી મોટો પુરાવો છે. આ પ્રામાણિકતાએ અમારા વિરોધીઓની ઊંઘ હરામ કરી દીધી છે.'
કેગના અહેવાલમાં જણાવવામાં આવ્યુ છે કે 2019-20માં દિલ્હી સરકારની આવક સરપ્લસ રૂ. 7,499 કરોડ હતી. જે દર્શાવે છે કે તેની મહેસૂલી આવક મહેસૂલ ખર્ચને પહોંચી વળવા માટે પૂરતી હતી. ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા દ્વારા વિધાનસભા સત્રમાં માર્ચ 2020ના રોજ પૂરા થયેલા વર્ષ માટે રાજ્યની નાણાકીય બાબતો પર CAG રિપોર્ટ, 2021 રજૂ કરવામાં આવ્યો હતો. રાજ્યની નાણાકીય બાબતો પરનો ઓડિટ અહેવાલ 31 માર્ચ, 2020ના રોજ પૂરા થયેલા વર્ષ માટે રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી સરકારના વાર્ષિક હિસાબો અને જાહેર ક્ષેત્રના ઉપક્રમોની કામગીરીની વિશ્લેષણાત્મક સમીક્ષા પ્રદાન કરે છે.