Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

દુર્ગાપૂજા મહોત્સવમાં ભારતની એકતા અને શક્તિ બતાવવામાં આવી છે- પીએમ મોદી

કોરોના વાયરસ રોગચાળા વચ્ચે પશ્ચિમ બંગાળમાં આજથી પાંચ દિવસીય દુર્ગાપૂજાની ઉજવણીનો પ્રારંભ થયો છે. પ્રસંગે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતાના સોલ્ટ લેક ખાતે દુર્ગાપૂજા પંડાલન

કોરોના વાયરસ રોગચાળા વચ્ચે પશ્ચિમ બંગાળમાં આજથી પાંચ દિવસીય દુર્ગાપૂજાની ઉજવણીનો પ્રારંભ થયો છે. પ્રસંગે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતાના સોલ્ટ લેક ખાતે દુર્ગાપૂજા પંડાલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે પશ્ચિમ બંગાળની આ ભૂમિએ દેશને ઘણી મહાન હસ્તીઓ આપી છે. વડા પ્રધાને પોતાના સંબોધનમાં કહ્યું હતું કે દુર્ગાપૂજનનો તહેવાર એવો છે, જેમાં આખો દેશ બંગાળી બને છે. તેમણે કહ્યું કે, આ વખતે કોરોના વાયરસ રોગચાળાને લીધે, દુર્ગાપૂજાનો તહેવાર માર્ગદર્શિકા સાથે ઉજવવામાં આવી રહ્યો છે, પરંતુ આ હોવા છતાં આ તહેવારનો સ્વાદ જુદો છે.

PM Modi

પીએમ મોદીએ કહ્યું, 'દુર્ગાપૂજા ઉત્સવ ભારતની એકતા અને શક્તિ દર્શાવે છે. આ તહેવાર બંગાળની પરંપરાઓ અને સંસ્કૃતિને પણ પ્રતિબિંબિત કરે છે. હું તમને બધાને વિનંતી કરું છું કે તહેવારની ઉજવણી કરતી વખતે બે ગજનું અંતર અને માસ્કનો ઉપયોગ કરો. તમને જણાવી દઈએ કે રાજ્ય ભાજપ દ્વારા પીએમ મોદીના કાર્યક્રમ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પ્રસંગે વડા પ્રધાન મોદીના સંબોધનને જીવંત બતાવવા માટે, ભાજપે પશ્ચિમ બંગાળના દરેક ચૂંટણી બૂથ પર ટીવી સ્ક્રીન લગાવી દીધી છે. ભાજપના નેતાઓ અનુસાર, પશ્ચિમ બંગાળમાં કુલ 78,૦૦૦ મતદાન મથકો છે અને દરેક બૂથ પર ટીવી સ્ક્રીન લગાવાઈ છે. આ સમારોહમાં બે કલાક ચાલેલા કેટલાક સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પ પર ઓબામાનો પ્રહાર, બોલ્યા- આ કોઈ રિયાલિટી શૉ નથી

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X