Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સાંસદમાં સમાપ્ત થઇ શકે છે વિરોધ, સરકાર-વિપક્ષ શોધ્યો વચ્ચેનો રસ્તો

સંસદના મૌનસૂન સત્ર હવે સમાપ્ત થવાની નજીક છે. પરંતુ મણીપુર હિંસાના મામલા પર હંગામાને લઇને સંસદમાં હજી સુધી ગતીરોધ સમાપ્ત નથી થયો. પરતુ સરકાર અને વિરોધ પક્ષે હવે વચ્ચેનો રસ્તો કાઢ્યો છે. આશા છે કે, જેવી રીતે બંને સદનોમાં નેતાઓએ પોતાના પક્ષ રાખ્યો છે તેનાથી તમામ પ્રકારના ગતીરોધ સમાપ્ત થઇ જશે.

PARLAMENT

વિપક્ષના નેતાઓએ બંને ગૃહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મણીપુર મુદ્દા પર નિવેદનની માગ કરવામાં આવી રહી છે. પરંતુ તે ઇચ્છી રહ્યા છે કે, રાજ્યસભામાં નિયમ 167 અનુસાર આ મુદ્દા પર ચર્ચા થાય. સાથે જ અંતમાં એક પ્રસ્તાવ પણ પાસ થાય.

હિસ્તાન ટાઇમ્સની રિપોર્ટ્સ અનુસાર સરકાર અને વિરોધ પક્ષ વચ્ચે તેને લઇને ચર્ચા ચાલી રહી છે. મણીપુરના મુદ્દા પર રાજ્યસભામાં 11 ઓગસ્ટને ચર્ચા થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, 11 ઓગસ્ટ મોનસૂન સત્રનો છેલ્લો દિવસ છે. કેન્દ્રીય ગૃહમંત્રી ચર્ચા દરમિયાન સવાલના જવાબ આપી શકે છે.

ગુરુવારે વિપક્ષની તરફથી સલાહ આપવામાં આવી હતી. જો એફિડેવિડનો સ્વીકાર કરવામાં આવે છે તો નિયમ 167 અનુસાર ચર્ચા થવી જોઇએ. સભાપતિની અનુમતિથી પ્રસ્તાવ પાસ થવો જોઇએ. જેમા ચર્ચાની સાથે મંત્રીનો જવાબ પણ હોવો જોઇએ.

સૂત્રોના અનુસાર સરકાર સલાહનો સ્વીકાર કરી શકે છે. અને ગૃહમંત્રી અમિત શાહ જવાબ આપી શકે છે. તે સત્રના છેલ્લા દિવસે પણ વિપક્ષના સવાલનો જવાબ આપી શકે છે. જ્યારે સરકાર તરફથી વિપક્ષનો સંપર્ક કરવામા આવ્યોતો ગુરુવારે બંને પક્ષો વચ્ચે તેને લઇેન ચર્ચા થઇ હતી.

બેઠકમાં સરકાર અને વિપક્ષ બંને તરફથી વરિષ્ઠ નેતાઓએ ભાગ લીધો હતો. પૂયષ ગોયેલ, પ્રહ્લાદ જોશી, મલ્લિકાર્જુન ખડગે આ બેઠકમાં ભાગ લીધો હતો. જેનાથી એ નક્કી છે કે, વપક્ષ નિયમ 267 અનુસાર ચર્ચાની માગ નહી કરે. અને સલાહ આપવામાં આવી કે, નિયમ 167 અુસાર થાય અને અતમાં એક પ્રસાવ પાસ કરવામાં આવે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X