Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Karnataka Election : કર્ણાટકની આ 31 સીટો પર હિન્દુત્વનો મુદ્દો પ્રભાવી રહેશે, જાણો કોને થશે ફાયદો?

નવી દિલ્હી : કર્ણાટકમાં ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવી રહી છે. રાજ્યમાં કોંગ્રેસને બહુમત મળવાની સંભાવના જોવા મળતા હવે બીજેપીમાં ગભરાટનો માહોલ છે. જો કે તેમ છત્તા બીજેપી અહીં પોતાની પુરી તાકાત સાથે ઉતરી છે. બીજા રાજ્યોની જેમ આ રાજ્યોમાં પણ બીજેપીના મુદ્દાઓમાં હિન્દુત્વ સામેલ હોય તે સ્વભાવિક છે. આજે આપણે કર્ણાટકની કેટલીક એવી સીટોની વાત કરવાના છીએ જેના પર હિન્દુત્વનો પ્રભાવ જોવા મળશે.

hindutva

સત્તામાં રહેલી બીજેપી માટે સત્તા જાળવવી જરૂરી છે અને એ માટે તેને 5 જિલ્લાઓથી ખાસ અપેક્ષા છે. આ જિલ્લાઓમાં હિન્દુત્વની બોલબાલા છે. હિન્દુત્વનો પ્રભાવ ધરાવતા પાંચ જિલ્લાોમાં ઉત્તર કન્નડ, શિવમોગ્ગા, ઉડુપી, ચિકમંગલુર અને દક્ષિણ કન્નડનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં કુલ 31 સીટો આવે છે અને ગઈ 2018 ની ચૂંટણીમાં બીજેપીએ અહીં 31 સીટો જીતી હતી.

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં બીજેપી ભ્રષ્ટાચારના આરોપથી ઘેરાયેલી છે. બીજી તરફ રાજ્યમાં ગૌહત્યા પર પ્રતિબંધ અને ધાર્મિક પ્રવૃત્તિઓને અંકુશમાં લેવા માટે કાયદો પસાર કરીને તેના હિંદુઓને ખુશ રાખવાનો પ્રયાસ કર્યો છે. આ ઉપરાંત, લવ જેહાદ, ધર્મ પરિવર્તન અને આંતર-ધાર્મિક લગ્નના મુદ્દાઓ પણ બીજેપીઓ ઉઠાવ્યા હતા.

હાલ ચૂંટણીમાં પણ હિન્દુત્વનો મુદ્દો ચર્ચાએ રહેશે ત્યારે 2020માં અહીં બીએસ યેદિયુરપ્પા સરકારે કર્ણાટક એનિમલ સ્લોટર પ્રિવેન્શન એક્ટ લાગુ કર્યો હતો. આ કાયદો ગાયના વાછરડા, બળદ અને ભેંસની કતલ પર પ્રતિબંધ મૂકે છે. કાયદાના ઉલ્લંઘન માટે કોર્ટ વોરંટ વિના ધરપકડ કરી શકાય છે. આ ગુનો ત્રણથી સાત વર્ષની જેલની સજા, 50 હજારથી 5 લાખ સુધીનો દંડ અથવા બંને સજાને પાત્ર છે. આ કાયદો સ્વયં ઘોષિત ગૌરક્ષકોને પણ રક્ષણ પૂરું પાડે છે.

કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી પ્રધાન સિદ્ધારમૈયાએ ફેબ્રુઆરીમાં વિધાનસભામાં કહ્યું હતું કે, નવો કાયદો ખેડૂતોને નુકસાન પહોંચાડે છે. તે તેમના બિનઉત્પાદક પશુઓને વેચી શકતા નથી. સિદ્ધારમૈયાએ કહ્યું કે સરકાર દાવો કરે છે કે ગૌવંશની કતલ પર પ્રતિબંધથી ઇકોસિસ્ટમને ફાયદો થયો છે પરંતુ તેણે કંઈ કર્યું નથી. કાયદામાં હિડન એજન્ડા અને કોમી એજન્ડા હતા.

આ સિવાય કર્ણાટકમાં ધર્મ સ્વતંત્રતા સંરક્ષણ કાયદો 2022 પણ મોટો મુદ્દો છે. વિરોધ પક્ષો અને લઘુમતી જૂથોના વિરોધ વચ્ચે ગયા વર્ષે આ કાયદો પસાર કરાયો છે. આ અધિનિયમમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ ખોટી રજૂઆત, બળજબરી, અયોગ્ય પ્રભાવ, બળજબરી, પ્રલોભન અથવા કોઈપણ છેતરપિંડી દ્વારા અથવા લગ્ન દ્વારા સીધી રીતે અથવા અન્યથા કોઈ અન્ય વ્યક્તિને એક ધર્મમાંથી બીજા ધર્મમાં પરિવર્તિત અથવા ધર્માંતર કરવાનો પ્રયાસ કરશે નહીં અથવા કોઈ વ્યક્તિ ધર્માંતરણનો પ્રયાસ કરશે નહીં.

હવે આ ચૂંટણીમાં આ તમામ મુદ્દાઓ ચર્ચામાં રહેશે. આ કાયદાઓના આધારે બીજેપી સત્તામાં પાછા ફરવા માટે રણનીતિ બનાવે તે સ્વભાવિક છે. હવ જોવાનું એ છે કે બીજેપી કેટલી સફળ થાય છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X